“હિન્દ રક્ષક સંઘ” દ્વારા નિઃશુલ્ક “તુલસી રોપા”નું વિતરણ 

હિન્દ ન્યુઝ, કાલાવડ      જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણમાં “તુલસી પૂજન” સાથે “તુલસી રોપા” નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.      ‘તુલસી પૂજા દિવસ’ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ક્રિસમસ હોવાથી ઘણા સનાતનીઓ ધર્મ પ્રત્યે જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ‘ક્રિસ્ટમસ ટ્રી’ લગાવી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે સૌ સનાતનીઓએ આ દિવસે તુલસી પૂજન કરી ‘તુલસી પૂજા’ દિવસની ઉજવણી કરવી જોઈએ એમ “હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક – અધ્યક્ષા માનનીય…

Read More

નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર  ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મધ્યમથી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર…

Read More

બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે જ પોષણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના 56 હજારથી વધુ બાળકોને શુદ્ધ, ગરમાગરમ પોષણક્ષમ નાસ્તાનો લાભ. સ્વ. અટલબિહારી વાજપેયીજીના દૃષ્ટિવાન વિચારોથી પ્રેરિત અને વર્તમાન નેતૃત્વના સુશાસન હેઠળ ગુજરાત આજે શિક્ષણ સાથે પોષણના મજબૂત મૉડેલ તરફ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માત્ર નાસ્તો નથી, પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર ભવિષ્ય માટેનું સંકલ્પપત્ર છે.

Read More

“પઢાઈ ભી, પોષણ ભી: ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો નવો પાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ બાળકોના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ અને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જેવી પૌષ્ટિક વાનગીઓ પીરસવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ માં છોટાઉદેપુર જિલ્લાની ૧૨૬૨ શાળાઓમાં કુલ ૯૭,૧૦૩ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાંથી અંદાજે ૮૩,૬૪૮ જેટલા બાળકો નિયમિતપણે આ ગરમાગરમ નાસ્તાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી બાળકોમાં લોહતત્વનું સ્તરમાં વધારો થશે અને કુપોષણ…

Read More

જામનગર જિલ્લા પંચાયત દ્વારા હરિપર ખાતે ‘જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન’નું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે “જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના કુલ ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. કાર્યક્રમ સ્થળે પશુપાલન સંબંધિત વિવિધ પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની પશુપાલકોએ રસપૂર્વક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જિલ્લામાં ચાલતી ‘પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી’ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. પશુપાલકો સરકારી યોજનાઓથી સતત વાકેફ…

Read More

જામનગરની ધુવાવ શાળા ખાતે ‘પોક્સો એક્ટ’ અને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ધુવાવ સ્થિત શ્રી સી. આર. મહેતા શાળા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય વિષય ‘જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ – ૨૦૧૨’ (POCSO Act) રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ ૯ થી ૧૨ના કુલ ૧૨૮ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં DMC દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ‘બેટી બચાઓ…

Read More

નવસારીના ૫૭૦ થી વધુ ખેડૂતોને ‘કિસાન સૂર્યોદય યોજના’ થી રાત્રિના ભયમાંથી મળી મુક્તિ

હિન્દ ન્યુઝ, નવસારી       અગાઉ રાત્રીના સમયે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. હવે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બની ચૂક્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની ‘કિસાન સૂર્યોદય યોજના’ એ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પાથર્યો છે.  રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-2021 થી “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતોની માંગને પહોંચી વળવા માટે દિવસ દરમિયાન કૃષિ વીજળી પૂરી પાડવા, દિવસ દરમિયાન…

Read More

મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ મહેસૂલ વિભાગમાં સીમાચિહ્રન રૂપ બન્યો, વાપીના ૨૦૮ દુકાનદારોને મળ્યો ન્યાય 

હિન્દ ન્યુઝ, તાપી   મુખ્યમંત્રીએ અરજદારની રજૂઆતો સાંભળી વાપી જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓને બોલાવી તટસ્થ નિર્ણય કર્યો  વાપી જીઆઈડીસીએ ફાઈનલ ટ્રાન્સફર ઓર્ડર નકારતા ધંધો રોજગાર કેવી રીતે કરીશું તે અંગે ૨૦૮ દુકાનદારો મૂંઝવણમાં મુકાયા હતા  ન્યાય અપાવવાની સુદઢ વ્યવસ્થાના ભાગરૂપે આ ક્રાંતિકારી (સ્વાગત) કાર્યક્રમ નાગરિકોને સીધા મુખ્યમંત્રી સાથે જોડે છેઃ અરજદાર નિમેષ પટેલ   

Read More

કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામ્ય લાઇવલીહુડ મિશન હેઠળ પશુ સખી, કૃષિ સખી, સ્વસહાય જૂથના સભ્યને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ     મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ઘેલાસોમનાથ મંદિર (વિંછીયા)થી પ્રસ્થાન કરીને ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ સોમનાથ મંદિર (વેરાવળ) જઈ રહી છે.     આ પદયાત્રાના બીજે દિવસે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે મંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નાના માંડવા ગામના રૂ. ૧,૬૬,૪૦૦ના ખર્ચે બનેલા સેગ્રીગેશન શેડનું લોકર્પણ, રૂ. ૬૧,૫૦૦ના ખર્ચે બનેલા શોકપીટનું લોકાર્પણ, રૂ. ૬,૫૨,૦૦૦ના ખર્ચે નિર્માણ પામનારા વોટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧,૯૮,૫૦૦ના ખર્ચે સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત, રૂ. ૬૧,૫૦૦ના ખર્ચે બનેલા શોકપીટનું લોકાર્પણ, રૂ. ૮૦,૦૦૦ના ખર્ચે નિર્માણ પામનારા વોટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત, રૂ.…

Read More

પાટણ જિલ્લામાં ૮૧૪ કેન્દ્રો પર અમલમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના

હિન્દ ન્યુઝ, પાટણ  દૈનિક ૧,૦૫,૦૦૦ બાળકો પૌષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હેમાંગીની ગુર્જર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ખરેખર સરાહનીય” – આચાર્ય યજ્ઞેશ બારોટ નાસ્તા પછી ભણવામાં વધુ ધ્યાન રહે છે*:*વિદ્યાર્થી અંશ અને દિવ્યાંગ સરકારની પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ  

Read More