ભાવનગર ખાતે સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર         લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા અને સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવા શપથ લીધા. 

Read More

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ      આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-2025 અંતર્ગત દિલ્હી ખાતે મળેલ રાષ્ટ્રીય બેઠક બાદ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન અંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી તેમનું માર્ગદર્શન મેળવ્યું. સાથે અભિયાનના સહ સંયોજક અને ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, અરવલ્લી જિલ્લાના પ્રભારી રાજુભાઈ શુક્લા, સુરત જિલ્લાના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન સરડવા,…

Read More

નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા

હિન્દ ન્યુઝ,     અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ.  આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો સહિત દરેક સમાજના લોકોએ ઉપસ્થિત રહી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો. 

Read More

जोधपुर देहात दक्षिण द्वारा ‘सरदार 150 यूनिटी मार्च’ पद यात्रा का आयोजन

हिन्द न्यूज़, जोधपुर       भाजपा जोधपुर देहात दक्षिण द्वारा आज सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के अवसर पर ‘सरदार 150 यूनिटी मार्च’ पद यात्रा का आयोजन जिला अध्यक्ष त्रिभुवन सिंह भाटी के नेतृत्व में बिलाड़ा शहर के तिरंगा सर्किल से सीरवी मोतीसिंह स्टेडियम तक किया गया।        इस दौरान पाली लोकसभा सांसद श्री पीपी चौधरी, बिलाड़ा विधायक अर्जुनलाल गर्ग, जिला उपाध्यक्ष जयकिशन पंचारिया, जिला महामंत्री डॉ. यशपाल गोधा, श्रीमती सुमित्रा विश्नोई, बिलाड़ा प्रधान श्रीमती प्रगति कुमारी खेजड़ला, बिलाड़ा नगरपालिका अध्यक्ष श्री रूपसिंह सीरवी, जिला…

Read More

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ      એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે. 3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૨/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૪/૧૧/૨૦૨૫…

Read More

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય પદયાત્રા આગામી ૨૬ નવેમ્બર થી યોજાવાની છે.રાજ્યમાં પણ વિધાનસભા મુજબ એકતા પદ યાત્રા યોજાઈ રહી છે. આણંદ જિલ્લામાં પેટલાદ વિધાનસભામાં રાજ્ય મંત્રીશ્રી નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદની એન કે.હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું રણછોડરાય મંદિર ચોકડીથી શાહપુર થઈને સુંદરણા ગામ ખાતે સમાપન થયું હતું . રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે તેમના માદરે વતનમાંથી એકતા પદયાત્રા યોજાઈ રહી છે,ત્યારે સરદાર પટેલ જે ભારત દેશની…

Read More

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં કૃષિ સહાય પેકેજ અંગે ખુશી વ્યક્ત કરતાં બોટાદના ખેડૂતો

હિન્દ ન્યુઝ, બોટાદ                 કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલાં પાકનાં ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોનાં હિતમાં લેવામાં આવેલાં આ નિર્ણયથી સમગ્ર બોટાદ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બોટાદ જિલ્લામાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું, જેનાં કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહારો પૂરો પાડવા રૂ. ૧૦ હજાર કરોડનાં વિશાળ પેકેજની જાહેરાત કરી છે, જેનાથી ખેડૂતોમાં નવી…

Read More

પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

હિન્દ ન્યુઝ,  આણંદ       આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે. દિપકભાઈ એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો અસરકારક ઉપયોગ કરીને ખેતી શરૂ કરી છે.વર્ષ- ૨૦૨૦ દરમિયાન તેમણે પોતાના ખેતર પર હળદરનો પાક ઉગાડ્યો હતો, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે કરવામાં આવ્યો હતો. એક વિઘામાં બિયારણ, છાણિયું ખાતર, જીવામૃત અને નિંદામણ…

Read More

બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીનું રમણીય પરિસર વધુ હરીયાળું થયું : 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ                      સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને સકારાત્મક અને સજીવન રૂપ આપવા બોટાદ જિલ્લામાં અનોખી હરિયાળી પહેલ કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની હરિયાળીમાં વધારો કરતા, પરિસર ખાતે 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું હતું. જેના થકી કલેક્ટર કચેરીનું રમણીય પરિસર હવે વધુ મનોહર બન્યું છે.                        આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,…

Read More

બોટાદ જિલ્લામાં સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો ( તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર)ના વેચાણ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ                  બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામું તા.૧૯-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૧-૨૦૨૬(બંને દિવસો સુદ્ધા) દિન ૬૦…

Read More