હિન્દ ન્યુઝ,
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ.
આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો સહિત દરેક સમાજના લોકોએ ઉપસ્થિત રહી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો.
