હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા, ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પૂરતા વોલ્ટેજ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે; તેમજ રાજ્યના ખેડૂતોને સતત અને પૂરતા વૉલ્ટેજ સાથે વીજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ
આ પાંચ ગામોના 1,788 ઘર-ખેતરોમાં પૂરતા વોલ્ટેજ સાથે સતત વીજળી આપવામાં આવે છે, આ સિવાય જ્યારે કોઈ ટેક્નિકલ ખામી જણાય અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે છે.

