જામનગર (શહેર) તાલુકામાં આગામી તા.22 નવેમ્બરે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી એ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (શહેર) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.22 નવેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી, જામનગર અને મામલતદાર, જામનગર શહેરના અધ્યક્ષસ્થાને જામનગર પ્રાંત કચેરી, જામનગર શહેરની કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં…

Read More

જામનગર જિલ્લામાં વિવિધ 10 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર

હિન્દ ન્યુઝ, જામનગર માત્ર 5 રૂપિયામાં શ્રમિકો તથા તેના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ 2017 થી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર પહેલાં જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 155 જેટલાં નવા ભોજન કેન્દ્રો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા તા.10 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યા છે. જામનગરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મેયબેન ગરસર અને જિલ્લા કલેકટર બી.એ.શાહના હસ્તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ…

Read More

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં કાળી ચૌદસના રાત્રી સમયે અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આઈ. એમ. સરવૈયા જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામની મુલાકાત લીધેલ. નાગરિકોને અંધશ્રદ્ધા અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ.  પી.એસ.આઇ. આઈ.એમ.સરવૈયા જણાવેલ કે લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઈએ તેવો સંદેશો આપેલ. સ્વામી વિવેકાનંદ મોક્ષધામના પ્રમુખ જે.ડી. ઢોલરીયા, દેવશંકરભાઇ ચાંવ, ધીરુભાઈ છાયાણી, કમિટી મેમ્બરો દ્વારા આવેલ નાગરિકો માટે અલ્પહાર રાખવામાં આવેલ અને દિવાળીની તેમજ…

Read More

દીપાવલીના પાવન પર્વની સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ     શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીપવલીના પર્વ પર વિશેષ મહાપૂજા, શ્રૃંગાર, સહિતના ભક્તિમય આયોજન કરવામાં આવ્યા હતા. દીપવલી પર શ્રી સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પ, ચંદન, ભસ્મ, તેમજ વિવિધ આભૂષણ દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વિશેષ ધાર્મિક આયોજનો ઉપરાંત સોમનાથ મંદિર, અતિથિગૃહો ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેથી સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ ને પણ અદ્વિતિય આતિથ્યનો અનુભવ થયો હતો. દીપાવલી પર સોમનાથ મંદિરમાં તેમજ ટ્રસ્ટના શ્રી રામ મંદિરમાં રંગોળી, દીપમાળા, મહાપૂજા, મહાઆરતી, ત્રિશોંપચાર પૂજન, સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ…

Read More