ભાવનગર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ નવેમ્બર નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા કક્ષાનો માહે:નવેમ્બર-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૧૧/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવેલ…

Read More

ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        માહે નવેમ્બર- ૨૦૨૩નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૧૧/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર- જેસર, જિલ્લા વિકાસ અધિકારી ગારીયાધાર તથા પોલીસ અઘિક્ષક – ઘોઘા નાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ…

Read More

શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૧૧/૨૦૨૩ ને બુધવારનાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે પ્રાંત અધિકારી, સિહોરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદાર એ તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે.  તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય…

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે નવેમ્બર- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૧૧/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૧/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ધોધા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ…

Read More

ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં ગુંદી, કાનાતળાવ, ભડભીડ, કાળાતળાવ નિરમાબ્રાંચ, સવાઇનગર જત વિસ્તાર, નવા કોટડા, ગોકુળપરા તથા શેઢાવદર ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૧૬/૧૧/૨૦૨૩ સુધીમાં અરજીઓ મંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિક ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે તેમ મામલતદાર, ભાવનગર(ગ્રામ્ય) ની યાદીમાં જણાવેલ…

Read More

ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં.૪ વરતેજ ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એસ.એન.પારગીની નિમણૂંક કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં.૪ વરતેજ ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એસ.એન.પારગીની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૨૭-૧૦-૨૦૨૩ નાં રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારનાં રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાનાં રહેશે. વરતેજની નગરરચના અંગેનાં દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા પ્રવર નગર નિયોજક,…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં ૦૯ ડિસેમ્બરના રોજ યોજાશે નેશનલ લોક અદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ છે જેમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કલેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે.જે પક્ષકારો કેસ મુકવા માંગતા…

Read More