ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે નવેમ્બર- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૧૧/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૧/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ધોધા ખાતે સ્વીકારવામાં આવશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, ઘોઘાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment