ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Read More

ઉના તાલુકાના રાણવશી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે ઉના તાલુકાના રાણવશી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઉનાના રાણવશી ગામે પણ લોકોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રા અંતર્ગત ૨૦ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં…

Read More

ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડો. સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્રીગોવર્ધનનાથજી મંદિરમા તુલસી વિવાહ, મનોરથ ઉજવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે સવારે તેમના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા ઓડના વિવિધ વિસ્તાર માં ફેરવીને મંદિરે લાવવામા આવી ઓડના ગોરમહારાજ મિહિર પંડ્યા દ્વારા લગ્નવિધી કરાવવામાં આવી હતી. યજમાન ડો. સંજયભાઈ પટેલ પરિવાર તરફથી કન્યા પક્ષ અને મંદિર તરફથી વર પક્ષની વિધી કરવામાં આવી હતી. ઓડ મંદિરના ભજન મંડળ તરફથી ભજન તથા લગ્નગીતો ગાઈ રંગેચંગે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો…

Read More

ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું 

હિન્દ ન્યુઝ, આણંદ ઉમરેઠ સ્થિત નાશિક વાળા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ- ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસભાના ઉમેદવાર કોઈ પણ હોય સીટ પાંચ લાખ થી વધુ મતે જીતાડી લાવવા હાકલ કરી આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલએ શુભકામનાઓ સાથે નરેન્દ્રભાઇ મોદીજીના વિકાસના કામો ની સમજ આપી હતી અને ગુજરાતની બધી બેઠકો વધુ મતોથી…

Read More