ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડો. સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્રીગોવર્ધનનાથજી મંદિરમા તુલસી વિવાહ, મનોરથ ઉજવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે સવારે તેમના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા ઓડના વિવિધ વિસ્તાર માં ફેરવીને મંદિરે લાવવામા આવી ઓડના ગોરમહારાજ મિહિર પંડ્યા દ્વારા લગ્નવિધી કરાવવામાં આવી હતી. યજમાન ડો. સંજયભાઈ પટેલ પરિવાર તરફથી કન્યા પક્ષ અને મંદિર તરફથી વર પક્ષની વિધી કરવામાં આવી હતી. ઓડ મંદિરના ભજન મંડળ તરફથી ભજન તથા લગ્નગીતો ગાઈ રંગેચંગે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment