જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં કાળી ચૌદસના રાત્રી સમયે અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આઈ. એમ. સરવૈયા જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામની મુલાકાત લીધેલ. નાગરિકોને અંધશ્રદ્ધા અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ.  પી.એસ.આઇ. આઈ.એમ.સરવૈયા જણાવેલ કે લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઈએ તેવો સંદેશો આપેલ. સ્વામી વિવેકાનંદ મોક્ષધામના પ્રમુખ જે.ડી. ઢોલરીયા, દેવશંકરભાઇ ચાંવ, ધીરુભાઈ છાયાણી, કમિટી મેમ્બરો દ્વારા આવેલ નાગરિકો માટે અલ્પહાર રાખવામાં આવેલ અને દિવાળીની તેમજ નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવેલ એવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment