રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ૬ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરના ૧, રાજકોટના ૩, જૂનાગઢના ૧, કાલાવડના ૧, કુલ.૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. 1. પ્રભુભાઇ મોહનભાઇ બેણાપિયા (ઉ.૫૫) સુરેન્દ્રનગર. 2. કિર્તીબેન સુરેશભાઇ અઢિયા (ઉ.૫૮) રાજકોટ. 3. દીપકભાઇ કાંતિલાલ ત્રિવેદી (ઉ.૬૫) રાજકોટ. 4. સમીરભાઇ મનસુખભાઇ (ઉ.૪૨) રાજકોટ. 5. ગુલામભાઇ મયુદીનભાઇ (ઉ.૬૫) જૂનાગઢ. 6. પ્રભાબેન દેવજીભાઇ (ઉ.૬૦) કાલાવડ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.
Read MoreMonth: August 2020
કામરેજ ઉંભેળ ગામની સીમમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી એક લાખના અફીણ ગાજો માલ સાથે એક વ્યક્તિ પકડાયો
કામરેજ, સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં આવેલ રૉયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી ૧.૦૩૪ કિલો અફીણ જેની કિંમત ૧.૩ લાખ સાથે મુળ રાજસ્થાન ના એક યુવાન ને પકડી લઈ રાજસ્થાનથી અફીણ આપી જનાર અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના એસ.ઓ.જી પી.આઇ આનંદ બ્રહ્મભટ્ટએ જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે સ્ટાફને જિલ્લામાં નાર્કોટિક્સ ના કેસ શોધી કાઢવા માટે જણાવ્યુ હતું આ અંગે સ્ટાફ ના માણસોએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એસ.ઓ.જી માં ફરજ બજાવતા હે.કો રોહિત તેમજ રાજેશને બાતમી…
Read Moreજામનગર માં હિન્દુ સેના દ્વારા જન્માષ્ટમી ના દિવસે રક્તદાન કેમ યોજાયો
જામનગર, જામનગર મા કરોડપતિ હનુમાન મંદિરે હિન્દુ સેના કાર્યાલય પર હિન્દુ સેનાના સૈનિકો દ્વારા હાલના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને હિન્દુ સેના જિલ્લા યુવા અધ્યક્ષ મયુર પટેલ ના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમી જેવા કૃષ્ણ ભગવાનના જન્મદિવસ હોય ત્યારે વિશ્વમાં જે કોરોના વાયરસ કોવિડ- 19 મહામારી બીમારી ફેલાયેલી છે. આવા સમયે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લડ બેંક માં બ્લડ ની જરૂરિયાત ઉભી થતી હોય, ત્યારે જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક ના હેડ ડો. જે. એચ. વાછાણી, ટીમ ઇન્ચાર્જ ડો. પી. વી. ચુડાસમા, ડો. ભૂમિદા, ડો. સુમન, અર્ચનાબેન જેઠવા સહિતની ટીમના સહયોગથી હિન્દુ સેના દ્વારા રક્તદાન…
Read Moreહડિયાણા ગામે જોષી પરિવારના સભ્યો દ્વારા પોતાના ઘરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી
હડિયાણા, શ્રlવણ વદ આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવ નો આનંદ ઉત્સવની ભવ્ય રસધાર થી ઉજવણી અને દહીં હંડી મટકી ફોર્ડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હડિયાણા ગામમાં શાસ્ત્રી ડી.કે. જોષી પરિવારના ઘરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિ ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં વડીલો અને દીકરાઓ અને પુત્રવધુઓ અને દીકરા ના નાના ભૂલકા ઓ એકી સાથે હળી મળી ને પોતાના નાના દીકરા હેતલભાઇ ની લાડકી દીકરી ને કાનુડા ના વેશભૂષા ધારણ કરીને કાર્યક્રમ દરમિયાન આખા પરિવારના સભ્યો એ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરી ને સમગ્ર જોષી પરિવાર ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર…
Read Moreથાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન
થાનગઢ, થાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું. જન્માષ્ટમી હોવાથી રામાપીર ના મંદિરે ફુલવાડી,થાનગઢ ખાતે નાના નાના નટખટ કાનુડા ને તૈયાર કરીને મટકી ફોડનો કાર્યક્રમ, મહા આરતીનું આયોજન રેખાબેન પૂજારી તથા ફૂલવાડી શેરી મંડળ દ્વારા રામાપીર મહિલા મંડળ દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ
Read Moreલાઠી તાલુકાના દામનગર પોલીસ 08 શકુનીઓ ને ઝડપી પાડતી પોલીસ
લાઠી, હાલ શ્રાવણ મહિનો છે એવા સમય માં શ્રાવણ મહિનો માનવામાં એવુ આવે છે કે પવિત્ર મહિનો છે. આજ રોજ લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર પાસે આવેલ નવાગામ માં 08 શકુની ઓ ને દામનગર પોલીસ ઝડપી લીધા હતા. આ બધા વ્યક્તિ ઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ જુગાર માં ટોટલ મુદામાલ સહીત 10350 રકમ છે. શકુની ઓ નામ ( 1) જતીનભાઈ મનસુખભાઇ ગજેરા (2) બિપિન ભાઈ કરમશીભાઇ કાછડીયા(3) દિનેશભાઈ ગોરધનભાઈ કાનાણી (4) ધર્મેશભાઈ દેવરાજભાઇ કાનાણી (5) કિશોરભાઈ મધુભાઈ દેસાઈ(6) ચિરાગભાઈ ભરતભાઈ ગજેરા(7) અશોકભાઈ તુલસીભાઇ દેસાઈ (8) મનુભાઈ જીણાભાઇ…
Read Moreઅંબાજી ખાતે ૧૭ લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા ,2 પોઝેટીવ આવ્યા “
અંબાજી, ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૪ દિવસ થી રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે અંબાજી બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલા હેલ્થ વેલનેસ કેન્દ્ર ખાતે ધન્વંતરી રથ રેપીડ કીટ દ્વારા દાંતા મેડીકલ ઓફિસર ડૉ.તુષાર ત્રિવેદી અને તેમના સ્ટાફ દ્વારા પી.પી.ઈ કીટ પહેરીને કોરોના ના ટેસ્ટ કરવામાં આવે છે અને જેનો રિપોર્ટ પણ ગણતરી ના મિનિટો મા સ્થળ ઉપર આપવામાં આવે છે ૧૭ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા ૧૫ લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને ૨ લોકો ના રિપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ…
Read Moreછોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” કચેરીને કવોરેન્ટાઈન કરતા વિજગ્રાહકો અટવાયા
છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ને અચાનક કવોરેન્ટાઈન કરવામાં આવતા વીજ ગ્રાહકોના વીજબિલ નહીં સ્વીકારાતા વીજ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ના વીજ ગ્રાહકો આજરોજ વીજબિલ ભરવા જતાં કચેરીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બિલ સ્વીકારવાનો ઇનકાર કરી દિધો હતો. કચેરીના કર્મચારીને પુછતાં જણાવ્યું હતું કે સદર કચેરીમાં હાલ કોરોના કેસ આવેલ હોય આ કચેરીને તંત્ર દ્વારા શીલ કરવાની છે અને સેનીટાઇઝેશન કરવામાં આવનાર છે જેથી હાલ કોઈ બિલ સ્વીકારવામાં નહી આવે એવુ જણાવતા આ સમાચાર…
Read Moreસુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે ૪૮ પર ૧૦ km ચક્કા જામ થયો
સુરત, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં સાવા પાટિયા નજીક ઓવરબ્રિજ ની કામગીરી ચાલી રહી છે. જ્યા નેશનલ હાઇવે ૪૮ ભારે વરસાદ લઈ ટ્રાફિક જામ થયો હતો. બંને લેનમા ૧૦ કિલોમીટરથી વધુની વાહનોની લાઈનો લાગી હતી. સાવા પાટિયા અને નંદાવ પાટિયા પાસે નવા ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાવા પાટિયાના બંને બાજુના સર્વિસ રોડ વરસાદમાં ધોવાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ
ભાવનગર, ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર યાદવની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા સીટી ડીવાયએસપી મનીષકુમાર ઠાકર ના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકી તથા પોલીસ સબ ઇન્સ. ટી.એલ.માલ તથા ડી સ્ટાફના હેડ કોન્સ. વનરાજસિંહ પરમાર તથા હેડ કોન્સ. સેજાદભાઇ સૈયદ તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ તથા પોલીસ કોન્સ. જયદાનભાઇ અજુભાઇ તથા પોલીસ કોન્સ. રાજેશભાઇ ભલાભાઇ…
Read More