અંબાજી ખાતે ૧૭ લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા ,2 પોઝેટીવ આવ્યા “

અંબાજી,

ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૪ દિવસ થી રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે અંબાજી બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલા હેલ્થ વેલનેસ કેન્દ્ર ખાતે ધન્વંતરી રથ રેપીડ કીટ દ્વારા દાંતા મેડીકલ ઓફિસર ડૉ.તુષાર ત્રિવેદી અને તેમના સ્ટાફ દ્વારા પી.પી.ઈ કીટ પહેરીને કોરોના ના ટેસ્ટ કરવામાં આવે છે અને જેનો રિપોર્ટ પણ ગણતરી ના મિનિટો મા સ્થળ ઉપર આપવામાં આવે છે ૧૭ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા ૧૫ લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને ૨ લોકો ના રિપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ થી મળતી માહિતી પ્રમાણે અંબાજી ખાતે પહેલા દિવસે ૨૭ લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા એક વ્યક્તિ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો. ત્યાર પછી બીજા દિવસે ૨૦ લોકો ના કોરોના ટેસ્ટ રવામાં આવ્યા હતા. જેમાં બધા લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને આ પહેલા ૬ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમા પણ તમામ લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. મંગળવારે ૨૨ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમા ૧ વ્યક્તિને કોરોના પોઝેટીવ આવ્યો હતો. બુધવારે ૧૭ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમા અંબાજી ખાતે રહેતા ૨ લોકો ના કોરોના પોઝેટીવ આવ્યા હતા. આમ અંબાજી ખાતે કોરોના નું હોટ સેન્ટર ક્રિષ્ના ફ્લેટ વિસ્તાર રહ્યો હતો.

કોરોના દર્દીના નામ…

(૧) પટેલ રિદ્ધિ બેન નટવરલાલ
(૨) ઉપાધ્યાય પાર્થ પ્રદીપભાઈ
(૩) ઝાલા રાજવીરસિંહ ઈન્દ્રજીત સિંહ
(૪) વ્યાસ ઉમંગ મનીષભાઈ
ક્રિષ્ના ફ્લેટ ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે,  અંબાજી ના પોલીસ સ્ટેશન પાસે આવેલી ક્રિષ્ના ફ્લેટ મા બે દિવસ મા કુલ ત્રણ કોરોના પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ હતુ અને આ વિસ્તાર ને તાત્કાલીક ધોરણે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે , અંબાજી ખાતે હવે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાતા કોરોના પોઝેટીવ દર્દીઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને એક બે દિવસ મા ક્રિષ્ના ફ્લેટ વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાય તેવી તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે,  તેવી માહિતી સૂત્રો પાસે થી મળી છે. યાત્રાધામ અંબાજી ખાતે ૪ દિવસ મા કુલ ૯૨ લોકો ના કોરોના ટેસ્ટ રેપીડ કીટ દ્વારા કરાયા હતા જેમા ચાર લોકોના પોઝેટીવ કેસ આવતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ અને હજી પણ અંબાજી ખાતે કોરોના ટેસ્ટીંગ ની કામગીરી સરકાર દ્વારા ચાલુ રહેનાર છે આ કામગીરીમા દાંતા મેડીકલ ઓફિસર ડોક્ટર તુષાર ત્રિવેદી અને ડોક્ટર યતીન મોદી સહીત નો સ્ટાફ હાજર રહ્યો હતો.

 

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment