ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ના રોજ યોજાશે

 

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો જુલાઇ-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૭/૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે.

આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૩/૦૭/૨૦૨૧ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે.

અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી. તેમ મામલતદારશ્રી ઘોઘાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment