દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માર્કેટ સમિતિ ના વર્તમાન કમિટી ની મુદત પૂર્ણતા ના આરે હોઈ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર ના નિયામક દ્વારા ચૂંટણી યોજવા અંગે નું જાહેરનામું બહાર પાડેલ છે. તાજેતર માં સહકારી કાયદા માં થયેલા ફેરફાર અંતગ્રત દિયોદર માર્કેટ સમિતિ ના ખેડૂત વિભાગ માં આઠ સદસ્યો ની ચૂંટણી યોજાતી જેના બદલે દસ સદસ્યો કરાયા છે. જ્યારે વેપારી વિભાગ માં ચાર અને સહકારી ખરીદ વેચાણ ના બે પ્રતિનિધિ ની જગ્યા ઓ યથાવત રખાઈ છે દિયોદર માર્કેટ સમિતિ ના કુલ 16 ડિરેક્ટરો ની ચૂંટણી યોજવાની છે. જેમાં તા,3/10/2020…
Read MoreMonth: August 2020
સિધ્ધપુર ના ખળી ચાર રસ્તા ખાતેથી અફીણ અને એમડી ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી
પાટણ, સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે આવેલી હોટેલ પાસે રાજસ્થાન ના સાંચોર થી આવતા ચાર શખ્સો પાસેથી અંદાજે 25 લાખનો એમડી ડ્રગ્સ અને અફીણ નો જથ્થો અમદાવાદ એટીએસ અને અને ક્રાઇમ બ્રાન્ચે પાકી બાતમીના આધારે પકડી લીધો હતો. રાત્રે આઠ વાગ્યા સમયે ખળી ચાર રસ્તા ની પાસે ફેમસ હોટેલ પાસે બે કાર આવતાની સાથે જ કાર સાથે ચાર વ્યક્તિઓને પોલીસે ધરપકડ કરી હતી, જેમાં ઇમરાન યાસીન શેખ રહે.સિદ્ધપુર, ખેમારામ કસ્તુર જી પુરોહિત, રહે થરાદ, સુરેશભાઈ ઠક્કર, જગદીશ દયારામ માળી બંને રહે.સાચોર રાજસ્થાન ને ઝડપી લીધા હતા અને કારમાંથી બે થેલા…
Read Moreદાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ને ટંકારા પોલીસે ઝડપી લીધો
મોરબી, મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધ્યક્ષ ની સૂચના અનુસાર ટંકારા પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.બી. બગડા ના સુચનાનુસાર ટંકારા પોલીસ ડી સ્ટાફ ની ટીમ ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરેલ હોય તે સમય દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના નાસતો ફરતો આરોપી પોપટ ભાઇ પારૂભાઈ ની ટંકારા પોલીસની હદમાં હોવાની બાતમી મળેલ હોય જે અંતર્ગત સજજનપર (ઘુનડા) ગામથી ઝડપી પાડેલ છે. જેની ટંકારા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગત મુજબ એવી છે કે દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનના ફાસ્ટૅ ગુ.ર.નં.…
Read Moreકલેક્ટર વિજય ખરાડીએ કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ સઘન આરોગ્ય તપાસણી કરવા સૂચના આપી
દાહોદ, તા. ૧૪, જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જેસાવાડા અને ગરબાડાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા કેટલાંક દિવસથી નિયંત્રિત વિસ્તારમાંથી કોરોના સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યાં છે ત્યારે નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય તપાસથી લઇને સેનિટાઇઝેશન જેવી કામગીરી વધુ સઘન કરવા માટે કલેક્ટરએ સૂચના આપી હતી. કલેક્ટર ખરાડીએ બંને કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ચાલી રહેલી આરોગ્ય તપાસણીની ઝુંબેશનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારના લોકોને સ્વેચ્છિક રીતે જ આરોગ્ય તપાસ કરાવવા જણાવ્યું હતું. સમગ્ર નિયંત્રિત વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની કામગીરી સઘન રીતે કરવા તેમણે…
Read Moreદાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ….
દાહોદ, દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો ધીમીધારે વરસાદ…. દાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ…. દાહોદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ધીમીધારે પડી રહ્યો છે વરસાદ…. ખેડૂતો બહુ સમયથી વરસાદની રાહ જોતા હતા વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો…. રિપોર્ટર : વિજય બચ્ચાની ,દાહોદ
Read Moreપાવીજેતપુરના લગભગ બધા ગામોના “કોઝ વે” પર નદીનું પાણી ફરી વળ્યુ
પાવીજેતપુર, છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી નદીની સામે કિનારે…
Read Moreઅતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેથી તમામ નાગરિકો સુરક્ષિત રહે તેવી અપીલ-SMC
સુરત, આજે ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી તમામ નાગરિકો સુરક્ષિત રહે તેવી અપીલ-SMC દ્વારા કરવા માં આવીહતી. આજ રોજ બપોરના સમય બાદ ઉકાઇડેમમાંથી ૧ લાખ ક્યુસેકની આસપાસ પાણી ડિસ્ચાર્જ થવાનો હોય સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા વિનંતી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreપાવીજેતપુરના લગભગ બધા ગામોના “કોઝ વે” પર નદીનું પાણી ફરી વળ્યુ
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી નદીની સામે કિનારે…
Read Moreગોધરા નર્સિંગ કોલેજ ખાતે શરૂ કરાયેલ કોવિડ વોર્ડ, તાજપુરા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના વિષયક કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચિવએ ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, સામાન્ય જનતા દ્વારા જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસિલીટી મેનેજમેન્ટ અને વિસ્તરણ, પ્રોએક્ટિવ સર્વેલન્સ પર ખાસ ભાર મૂક્યો હતો. જ્યાંથી વધુ સંખ્યામાં કેસો મળી રહ્યા છે તેવા ગોધરા, હાલોલ અને કાલોલના શહેરી વિસ્તારોમાં થઈ રહેલી કામગીરી અને સ્થિતિ અંગે માહિતી મેળવતા પોઝિટીવ કેસોના કારણે સંક્રમિત થયેલા દર્દીઓને વહેલી તકે શોધી કાઢી સંક્રમણની ઝડપ ઘટાડવાની વ્યૂહરચના પર તેમણે ભાર મૂક્યો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હોમ ક્વોરેન્ટાઈનની…
Read Moreજોડીયા ખાતે આમરણ કોસ્ટલ હાઇવે પર ભારે વરસાદને કારણે અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી ભરાયા
જોડીયા, જોડીયા ખાતે આમરણ કોસ્ટલ હાઇવે પર ભારે વરસાદને કારણે દુધઈ પાસેની ફોરટ્રેક હાઈવેની એક સાઈડ પાણી ભરાવાને કારણે બંધ કરવી પડી અને અમુક નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાય ગયેલ. તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર હાજર છે અને આ વિસ્તારમાં આજ રોજ આશરે 15 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાથી ગામ આખા માં પાણી પાણી જ જોવા મળે છે અને ઘરમાં અને દુકાનો માં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે. અને ગ્રામ જનોની હાલત કફોડી બની ગઈ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read More