હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા સી.જે. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એન્ડ એ.ડી.આઇ.ટી કેમ્પસ, ન્યુ વિદ્યાનગર, આણંદ ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૧૩ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૨૦૮ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં ૧૧૩ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
Read MoreMonth: April 2025
તા.૧૨ મી એપ્રિલે મુખ્યમંત્રી આણંદ જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, આણંદ આગામી તા. ૧૨ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રી જિલ્લાના નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીની આણંદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુ દેવાહુતીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ મુખ્યમંત્રીના પેટલાદ ખાતેના કાર્યક્રમને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવી જરૂરી માર્ગદર્શન…
Read Moreઆરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.
Read Moreલીમખેડા તાલુકાના પાલી ગામ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
હિન્દ ન્યુઝ, લીમખેડા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 101 વર્ કન્યા નાં જોડા એ પ્રભુતાનાં પગલા લઈ રહ્યા હતા. આ સમૂહલગ્ન કાર્યક્રમ શિવાજી સેના નાં અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વર કન્યાના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવાજી સેના દ્વારા કન્યાને કન્યાદાન રૂપે કરિયાવર પણ આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, શિવાજી સેના ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા આ લગ્ન વિવાહ સંસ્કાર…
Read Moreરા’ ના રાખોપા – શૌર્ય, ત્યાગ અને ઇતિહાસના પ્રેરણાસ્ત્રોતનું ભવ્ય આરંભ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાતના ઇતિહાસમાં શૌર્ય અને ત્યાગના અમર પ્રતીક તરીકે ઓળખાતા રા’ ના રાખોપા — આહીર વીર દેવાયતબાપૂ બોદર, વાલ્મિકી ભીમડા બાપુ અને વાલબાઈ માં — એમના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિરૂપ સ્વરૂપે ઉત્તરોત્તર પેઢીઓને પ્રેરણા આપનાર મ્યુઝિયમ અને ભવ્ય પ્રતિમાનું નિર્માણ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ ખાતે થવા જઈ રહ્યું છે. આ પવિત્ર અને ગૌરવશાળી પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ મ્યુઝિયમના ખાતમુહૂર્ત સમારંભ સંપન્ન થયો, જેમાં રા’ વંશજ અને પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહી આ ઐતિહાસિક ઘડીને સાક્ષી બનાવી. કાર્યક્રમમાં…
Read Moreજામનગર શંકર ટેકરીમાં હિન્દુ સેના દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી
જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા દર વર્ષની જેમ રામ નવમી ની રથયાત્રા માં રામજીના દર્શન સાથે રામભકતો મોટી સંખ્યા માં જોડાયા તેમજ શ્રી રામજી ના ભજનોથી રાસ ગરબા અને તલવાર રાસથી આનંદ સાથે વાતાવરણ રામમય બનાવી દીધું હિન્દ ન્યુઝ, જામનગર જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ના નેજા હેઠળ રામસવારીનું પ્રસ્થાન મંદિરના પૂજારી ધર્મેશભાઈએ બપોરે 1:30 વાગ્યે બીજેપી ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, જેન્તીભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણ, પ્રવીણસિંહ…
Read Moreपुर्तगाल के राष्ट्रपति महामहिम मार्सेलो रेबेलो डी सूज़ा से भेंट
हिन्द न्यूज़, भावनगर भारत की मान.राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु के साथ केंद्रीय राज्य मंत्री श्रीमती निमुबेन बांभणिया, श्रीमती संध्या राय जी एवं धवल पटेल ने पुर्तगाल के राष्ट्रपति महामहिम मार्सेलो रेबेलो डी सूज़ा से भेंट कर भारत-पुर्तगाल द्विपक्षीय वार्ता में भाग लिया। इस ऐतिहासिक अवसर पर ‘प्राका दो इम्पेरियो’, लिस्बन में महामहिम राष्ट्रपति डॉ. द्रौपदी मुर्मु जी का राष्ट्रपति मार्सेलो द्वारा भव्य स्वागत किया गया और उन्हें गार्ड ऑफ ऑनर के साथ औपचारिक स्वागत प्रदान किया गया। राष्ट्रपति श्रीमती मुर्मु जी ने सांता मारिया चर्च का भ्रमण किया…
Read Moreતાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગત દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મજયંતીની ઉજવણી આપણે સૌએ રામનવમીના રૂપમાં ઉજવી હતી. ભગવાન શ્રી રામ હિંદુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેમના જીવનના આદર્શો પોતાના જીવનમાં ઉતારવા માટે લોકો પ્રયત્ન કરતાં હોય છે. આવા સમયે ભગવાન શ્રી રામના જીવન-કવન વિશે જાણવાની પણ સૌને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે. આ સાથે રામ અને તેમના વંશ વિશે જાણવાની પણ આપણને જિજ્ઞાસા હોય છે. આપણને વધુ-વધુમાં ભગવાન શ્રી રામ રઘુકૂળના છે, તેનાથી વિશેષ ખ્યાલ હોતો નથી. ભગવાન શ્રી રામના પિતા-પિતામહ અને પ્ર-પિતામહ સુધીની યાદી કડકડાટ…
Read Moreકલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા સબ રજિસ્ટર્ડ કચેરીનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તથા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે નવીકરણ પામેલી સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસુલ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં નોંધણી નીરિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની ૨૬ રજીસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ગીર સોમનાથ જિલ્લાની કચેરીનું પણ અંદાજિત રૂ.૩૫ લાખના ખર્ચ અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવેથી કે.કે.મોરી સ્કૂલ પાછળ, બી.એસ.એન.એલ ઓફિસની બાજુમાં, એસ.ટી.રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત થતાં નાગરિકોને સબ રજીસ્ટ્રર…
Read Moreરાષ્ટ્રપતિ મુર્મુની વિદેશ યાત્રા : ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે એમ.પી. પોર્ટુગલ- સ્લોવાકિયાના પ્રવાસમાં જોડાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6થી 11 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે સાંસદોની પસંદગી કરી સમાવેશ કરવાના આવ્યો છે ત્યારે ભાવનગર – બોટાદ સંસદીય વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ઘટના બની રહી છે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ડેલીગેશન તા.7 થી 11 એપ્રિલ 2025 દરમિયાન વિદેશ પ્રવાસે છે. આ ડેલીગેશન સાથે પોર્ટુગલ અને સ્લોવાકીયાની મુલાકાત કરનાર છે. ત્યારે તેમાં ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને સ્થાન મળતા આનંદની…
Read More






