હિન્દ ન્યુઝ, ભાવનગર આજ રોજ ભાવનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છના સ્થાને “ખિલોના ખુશીયો કા” અંતર્ગત ગેમ્સ આપીને સ્વાગત કરાયું હતું. નવ નિયુક્ત કલેકટરએ જણાવ્યું હતું કે, પુષ્પગુચ્છ બદલે રમકડાં થી સ્વાગત કરવામાં આવે તો તે રમકડાં કોઈ જરૂરિયાતમંદ બાળકને આપી શકાય અને તેમના જીવનમાં ખુશી વહેંચી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. મનીષ…
Read MoreMonth: April 2025
‘૧૪ એપ્રિલે બોટાદમાં નેશનલ ફાયર સર્વીસ ડે’ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ૧૪ એપ્રિલનાં રોજ બોટાદ ફાયર સ્ટેશન ખાતે ‘નેશનલ ફાયર સર્વીસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ફાયર સર્વીસ ડેના દિવસે ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈનાં વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે જહાજ દુર્ઘટનામાં શહીદ થયેલાં ફાયરના ૬૬ વીર શહીદ જવાનો તેમજ ફાયર સર્વિસીસના નામી- અનામી વીર શહીદ જવાનો કે જેઓએ લોકો તેમજ સંપત્તિના બચાવ કાર્ય દરમ્યાન દેશ માટે પોતાનાં પ્રાણની આહુતિ આપી ફાયર સર્વિસીસનું ગૌરવ વધાર્યું છે, તેવાં વીર શહીદ જવાનોને યાદ કરી, બે મિનિટનું મૌન પાળી, શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેઓની…
Read Moreપ્રાકૃતિક ખેતીમાંથી મેળવેલી ખાદ્ય ચીજોમાં રાસાયણિક તત્વોનાં અભાવને કારણે તે સુપાચ્ય હોય છે
હિન્દ ન્યુઝ, બોટાદ આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. તેથી દેશની મોટાભાગની જમીન પર ખેતી કરવામાં આવે છે અને મોટાપાયે હાનિકારક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેનાથી દેશભરની જમીન હાલ પ્રદુષિત થઈ ગઈ છે અને તે પ્રદુષણ ધીમે ધીમે જમીનથી હવામાં અને પાણીમાં પણ ભળી રહ્યું છે. આ પ્રદુષણથી લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી આ તમામ પ્રકારની બીમારીઓ અને પ્રદુષણ ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી એક રામબાણ વિકલ્પ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર…
Read Moreછ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલબહેન પુરોહિત
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વધુ પડતી ચરબી હોવાનો વિકાર એટલે કે મેદસ્વિતા. મેદસ્વિતાના કારણે શરીરના પેટ, મોં, સાથળ વગેરે ભાગ પર ચરબીના થર જમાં થાય છે, જેના કારણે શરીરનું વજન વધી જાય છે. મેદસ્વિતાના કારણે અન્ય શારીરિક તકલીફો પણ સર્જાય છે. જેના કારણે સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મુશ્કેલી ઉભી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મેદસ્વિતાને એક વૈશ્વિક સમસ્યા ગણાવી છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન થકી લોકોને જાગૃત કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પહેલ કરી…
Read Moreમેદસ્વિતા મુક્ત અભિયાન : બોટાદ જિલ્લા માહિતી કચેરીના વિશેષ અહેવાલમાં જાણીશું ચરબી ઓછી કરવા લાભદાયી પીણાં વિશે
હિન્દ ન્યુઝ, બોટાદ હાલમાં ગુજરાત સરકારે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત આજે આપણે એવાં દેશી પીણાં વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગે છે, પણ આ હઠીલી ચરબી જલ્દીથી ઓછી થતી નથી પણ જો તમે તમારી જીવનશૈલી અથવા આહારમાં ઘણાં બધાં ફેરફારો કર્યા વિના ફેટ ઘટાડવા માંગતાં હો, તો તમારે અમુક દેશી અને આયુર્વેદિક પીણાં સવારે પીવા જોઈએ જે ચરબી ઘટાડી શકે છે. ગ્રીન ટી :- ગ્રીન ટી ચરબી ઓછી કરવા…
Read Moreસાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્ય કસવાલા
હિન્દ ન્યુઝ, સાવરકુંડલા સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ, સી.સી રોડ ડામર રોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઇ સુતરિયા અને સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ નવા બસ સ્ટેન્ડ સામે, મહુવા રોડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ…
Read Moreજિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના વિશેષ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઉમેર્યું હતું કે, અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના અગરિયાઓને વિશેષ તાલીમ આપવાના…
Read Moreરાજકોટ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ સરકારી પોલીટેક્નીક, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય અને કેમિકલ ખાતાના વડાશ્રી એ.ડી.સ્વામીનારાયણએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાસ્થ્ય જાળવણી વિશે માર્ગદર્શન આપ્યુ હતું. કૈરવીબેન મારડીયાએ બી.પી., ડાયાબીટીસ, કેન્સર જેવી વિવિધ બીમારીઓ થવાના કારણો, તેને અટકાવવાના ઉપાયો અને જરૂરી તકેદારી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના હિમોગ્લોબિન, બ્લડસુગર અને બ્લડપ્રેશરની તપાસ કરાઈ હતી. તેમજ હિમોગ્લોબીનની દવાનું વિનામુલ્યે વિતરણ કરાયું…
Read Moreનર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, નર્મદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ માટે પ્રોત્સાહક કામગીરી કરનાર પ્રોફેસર શ્રી મધુકર પડવી અને પ્રોફેસર સત્તુપતિ પ્રસન્નાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આદિવાસી યુવાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે સામાજિક-શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે અનન્ય સેવાઓ પ્રદાન કરનાએ કર્મયોગી રત્નસિંહજી મહીડાના યોગદાનને બિરદાવતા જણાવ્યું…
Read Moreસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય રાજ્ય સરકાર આપશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીના અભિગમ સાથે રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવા સદનના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ‘અ’ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી ₹2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરીને ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે ₹6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને ₹5 કરોડની…
Read More




