હિન્દ ન્યુઝ, ભાવનગર “૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે તા: ૧૬/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે. જેમાં તા. ૧૭ ના રોજ “પ્રોટોકોલ” થીમ પર યોગાસન મિટિંગ હોલ ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના…
Read MoreDay: June 17, 2023
ઘોઘા આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ.સી.ડી.એસ. કચેરી ઘોઘા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત “પોયણી યોજના” માં શાળાએ ન જતી ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ અને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કિશોરીઓને મીટીંગ કરી તેમને આરોગ્ય, ખોરાક અને સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન ઘોઘા બાળવિકાસ યોજના અધિકારી નીતાબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ તથા સુપરવાઈઝર મીનાબેન દ્વારા પોયણી યોજના વિષે સમજ આપવામાં આવેલ હતી. આ સેનેટરી પેડ દાતા સંજયભાઈ ચૌહાણ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતા. ઘોઘા સી.ડી.પી.ઓ. તથા સુપરવાઈઝર તેમજ આઈ.સી.ડી.એસ. તમામ સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ઘોઘાના આંગણવાડી વર્કર…
Read Moreપાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોને જુના લોઇચડા, લાખાવાડ, સોનપરી, હાથસણી, જીવાપુર, ચોંડા, લીલીવાવ, બહાદુરગઢ, બોદાનાનેસ, ભુતીયા, ઘેલાપરા, વિઠલવાડી, ભુતડીયા તેમજ મોટી પાણીયારી(વાડી) નાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદવેતનની ખંડ સમય માટે તદન હંગામી ઘોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૦ (વીસ) થી ૬૦ (સાઇઠ) તેમજ એસ.એસ.સી. પાસની લાયકાત હોવી જોઇએ તેમજ ઉમેદવાર જે-તે ગામનાં હોવા જોઇએ. નિયત અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી આઘારો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુઘીમાં મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે મધ્યાહન ભોજન શાખામાં પહોંચતી કરવા તેમજ મુદત…
Read Moreભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રોડ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરનાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવનાં મંદિર ખાતેથી નિકળનાર છે. આ રથયાત્રાના પ્રારંભ સમયે સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામે રોડ પર રથને ઉભો રાખી પૂજા, અર્ચન કરી રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ સમય દરમ્યાન રોડ પર મોટી સંખ્યામાં ભાવીકો એકત્રીત થતા હોય, રથયાત્રા રૂટ પર ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે ૫-૦૦ કલાક થી ૯-૦૦ કલાક સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીનાં રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોનું ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા અંગેનું…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીઓને અનુલક્ષી મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’થીમ પર ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. જે અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની સુનિયોજિત રીતે ઉજવણી થાય તે અંગે મિટિંગ યોજવામાં આવી હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા અને સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ સુનિયોજીત રીતે તમામ…
Read Moreબિપરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ બન્યું નિરાધાર નો આધાર, 10,000 થી વધુ ફૂડ પેકેટ વિતરણ, આશ્રય સ્થાનોમાં ભોજન અપાયું
હિન્દ ન્યુઝ, સોમનાથ કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મામતાસભર માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી…
Read Moreवैशाली जिले में भूमि विवादों का समाधान पहली प्राथमिकता – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज, बिहार वैशाली जिले के समाहरणालय के सभागार में भूमि विवादों के हल को लेकर जिला में चलाये जा रहे अभियान के तहत जिलाधिकारी यशपाल सिंह मीणा ने जिला के सभी भूमि सुधार उप समाहर्त्ता एवं अंचलाधिकारियों के साथ समीक्षा बैठक कर सभी जरूरी निर्देश दिया गया। इस बैठक में पुलिस अधीक्षक रविरंजन कुमार एवं अपर समाहर्त्ता विनोद कुमार सिंह भी उपस्थित थे। जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि सभी थानों पर 14 जून को चौकीदारों की बैठक एवं 15 जून को सभी अंचलों में…
Read Moreમહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ
હિન્દ ન્યુઝ, મહિસાગર આ બેઠકમાં કલેકટર ભાવિન પંડયાએ કહ્યું હતું કે, જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. આમ જનહિતને લગતા પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના…
Read Moreછેલ્લા આઠ વર્ષેથી વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢી આરોપી ને ઝડપી ભોગ બનનારને શોધી પાડતી મહીસાગર એસ.ઓ.જી
હિન્દ ન્યુઝ, મહિસાગર પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્રારા ગુમ/અપહરણ થયેલા બાળકો તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે મુજબ એસ.ઓ.જી પો.ઇન્સ. એમ.વી.ભગોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સ.ઇ આર.એસ.બારોટ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ હતી. આ દરમ્યાન લુણાવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૭૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૧(૩) મુજબના ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હાની તપાસ AHTU ને સોપેલ હતી જે બાબતે એસ.ઓ.જી પો.ઇન્સ એમ.વી.ભગોરાનાઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હતી. જે બાબતે…
Read Moreગુણવત્તા અને માનકીકરણ ક્ષેત્રે મહિસાગર જિલ્લાના અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, મહિસાગર ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS વિવિધ હિસ્સેદારી જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની…
Read More