अग्निकांड पीड़ित 519 परिवारों को सहाय्य अनुदान का भुगतान किया गया।

हिन्द न्यूज़, बिहार जिलाधिकारी यशपाल सिंह मीणा के द्वारा वैशाली जिला के सभी अंचल अधिकारियों को स्थानीय प्राकृतिक आपदा या अग्निकांड पीड़ित परिवारों को 24 घंटे के अंदर अनुग्रह अनुदान या सहाय्य अनुदान का भुगतान करने का निर्देश दिया गया था। इसकी समीक्षा प्रतिदिन संध्या 7:00 बजे से 8:00 बजे तक सभी अंचलाधिकारीयों के साथ गूगल मीट के माध्यम से की जा रही है ।जिसमें अनुमंडल के डीसीएलआर भी उपस्थित रहते हैं। आपदा प्रबंधन शाखा से प्राप्त अद्यतन प्रतिवेदन में बताया गया है कि जिला के सभी 16 अंचल अग्निकांड…

Read More

રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એચ.કે. આર્ટ્સ કૉલેજ ખાતે કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે યુગપુરુષ રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે અમદાવાદના ચીનુભાઈ સભાગૃહ, એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. આ નૃત્ય નાટિકા રાજા રામમોહન રોયના જીવન અને તેમનાં કાર્યો વિષયક યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, નવી દિલ્હી હસ્તકના રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧ મુ અંગદાન

‘હિન્દ ન્યુઝ, અમદાવાદ           અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧મુ અંગદાન થયું છે. અમદાવાદના વર્ષાબેન પરમાર બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો સેવાકીય નિર્ણય કર્યો અને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યુ. મહત્વની બાબત એ છે કે, વર્ષાબેનના પરિવારને અવાર-નવાર મીડિયામાં આવતા અંગદાનના સમાચારથી તેની અગત્યતા વિશે અગાઉ થી જ સમજ હતી. વધુમાં તેમના ભાઇના મિત્રનું ગયા વર્ષે જ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતુ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જ મળેલા અંગદાનની મદદથી કરવામાં આવ્યું હતુ. એટલે જ્યારે તેઓ વર્ષાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇને આવ્યા અને હાલત અતિગંભીર જણાઇ ત્યારે જ તેમણે મનમા…

Read More

નાબાર્ડના સહયોગથી કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) કોડીનાર ખાતે ત્રણ કોર્ષની નવી બેચનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                  ગુજરાત સરકાર મારફતે સ્કિલ દ્વારા યુવા પગભર બને એ દિશામાં સકારાત્મક કામગીરી થઈ રહી છે. નાબાર્ડ બેંકના સહયોગથી અંબુજા સીમેન્ટ કોડીનાર સ્થિત રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કેન્દ્ર, કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) ખાતે વિદ્યાર્થીઓને ટેક્નીકલ કૌશલ્યથી સજ્જ કરતા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ), આસિસ્ટન્ટ નર્સિંગ કોર્ષ, જીડીએ તેમજ ગૃહિણીઓ માટે વર્ક ફ્રોમ હોમ એમ ત્રણ કોર્ષની નવી બેચની શરૂઆત થઈ હતી તેમજ તાલીમાર્થીઓની સફળતાની વાત કહેતી બુકલેટ ‘એક કદમ કામયાબી કી ઔર’નું પણ લોન્ચિંગ થયું હતું. આ તકે નાબાર્ડના ડીડીએમ…

Read More

“કેરી ઓન કેસર” : અઢી વિઘામાં કેસર કેરી ઉગાડી સાડા ત્રણ લાખ રુપિયાની આવક મેળવતા ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી દ્રારા મબલખ કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી લખુભા ગોહિલને આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા માર્ગદર્શન આપીને પ્રાકૃતિક ખેતી કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિમત પણ મળી રહી છે. આમ આ ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણના રક્ષણમાં પણ પોતાનુત્ર યોગદાન આપી રહ્યા છે. આ તકે પ્રગતિશીલ ખેડૂત શ્રી લખુભા…

Read More

“One Time Installment Scheme” અને મિલ્કત વેરા વળતર યોજનાના છેલ્લા ૨ – દિવસ બાકી : અંતિમ તારીખ ૩૧/૦૫/૨૦૨૩

હિન્દ ન્યુઝ, રાજકોટ             સને. ૨૦૨૩-૨૪ના મિલ્કત વેરા વળતર યોજના તથા મિલ્કત-વેરા અને પાણી ચાર્જીસની રકમ કરદાતાઓ સહેલાઇથી ચૂકવી શકે તેમજ વધુમાં વધુ મિલ્કતધારકો સમાંતરે એડવાન્સ વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે “one time Installment scheme” ની મુદ્દત તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ. જેના હવે માત્ર બે દિવસ બાકી હોઈ આ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં કરદાતાઓ લઇ શકે તે હેતુથી તા.૩૦/૦૫/૨૦૨૩ તથા તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ તમામ વોર્ડ ઓફિસ ખાતે સાંજે ૬:૦૦ કલાક સુધી તથા તમામ સિવિક સેન્ટરો ખાતે રાત્રે ૮:૦૦ કલાક સુધી વસુલાત ચાલુ રાખવામાં આવશે.

Read More

શ્રી બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર “વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા નું ડી.એન.એ. ટેસ્ટ કરી પાકિસ્તાન ભેગા કરો : શાસ્ત્રીજીની સુરક્ષા ની જવાબદારી લેનાર કરણી સેનાને લાખ લાખ અભિનંદન.” ગુજરાતના રાજકોટ ખાતે શ્રી બાઘેશ્વર ધામના બાગેશ્વર બાબાની સેવા પૂજા કરનાર પ્રખર સનાતની હિન્દુવાદી ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 1 અને 2 જુન 2023 માં રાજકોટ પધારવાના હોય અને દિવ્ય દરબાર લગાવવાના હોય. જેમાં કોઈ ચમત્કારો નહીં પરંતુ ઋષિ પરંપરા અને ધર્મ આધારિત વાત કરતા હોય ત્યારે હિંદુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને નમન સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામડેથી હિન્દુઓ પધારે તેવી…

Read More

ગીર સોમનાથ જિલ્લાના અનુ.જાતિના વિદ્યાર્થીઓના આધાર નંબર બેંન્ક ખાતામાં લિંક કરાવવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેંન્દ્ર પુરસ્કૃત પ્રિ-મેટ્રીક (ધોરણ- ૦૧ થી ૧૦) અને પોસ્ટ મેટ્રીક (ધોરણ-૧૧ થી કોલેજ કક્ષા) શિષ્યવૃતિ યોજનાઓ કેંન્દ્ર સરકારની અદ્યતન માર્ગદર્શિકા હેઠળ વિદ્યાર્થીઓના આધાર બેઇઝ પર ચુકવણું કરવાનુ હોવાથી આધાર નંબર બેંન્ક સાથે લિંક અને Enable for DBT કરવાની કાર્યવાહી હાથ ધરવાની છે.       તાજેતરમાં, જિલ્લા કલેકટર આર.જી.વઢવાણીયા સાહેબશ્રીની અધ્યક્ષતામાં લીડ બેંન્કના અધિકારી, જુદી જુદી બેન્કના ૨ અધિકારી, અને શિક્ષણખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર સાહેબની સુચના અનુસાર, દરેક શાળાએ આધાર…

Read More

સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો જાજરમાન પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણના મહા અભિયાન તરીકે 11 લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ બીજાં તબક્કામાં પહોંચ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આજરોજ તા.28 મે થી સુત્રાપાડા તાલુકાથી પ્રારંભ કરી નોંધણી કરાવેલ ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી. ખેરા, ભૂવાટીંબી, પીપળવા, ભુવાવાડા, રંગપુર, ગાંગેથા ગામોમાં ઢોલ-શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામોમાં ખેડૂતોને આપવામાં આવેલ આંબા ની કલમ માત્ર વૃક્ષ નહિ પણ સોમનાથનો પ્રસાદ સમજી ખેડૂતોએ મસ્તક પર ચડાવ્યા હતા. ગામેગામ સોમનાથ…

Read More

જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

સર્વ રોગ નિદાન કેમ્પ હિન્દ ન્યુઝ, જામનગર        આજરોજ તા. ૨૮-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ રણજીત નગર પટેલ સમાજ પાસે સદગુરુદેવ શ્રી રણછોડદાસજી આશ્રમ જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો સાથે આવનાર લાભાર્થીઓને આવી કાળઝાળ ગરમીમાં દુધ તેમજ ઠંડાપીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ફિઝીશિયેન ડો. જીતલ અગ્રાવત, હાડકાનાં ડો.આશિષ આચાર્ય, ડાયાબીટિસ ની તપાસ કરવા માટે ડો. શ્રીમતી અગ્રાવત સાથે બ્લડપ્રેશરની તપાસ કરનાર ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સેવા ભાવી વ્યક્તિઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Read More