“One Time Installment Scheme” અને મિલ્કત વેરા વળતર યોજનાના છેલ્લા ૨ – દિવસ બાકી : અંતિમ તારીખ ૩૧/૦૫/૨૦૨૩

હિન્દ ન્યુઝ, રાજકોટ 

           સને. ૨૦૨૩-૨૪ના મિલ્કત વેરા વળતર યોજના તથા મિલ્કત-વેરા અને પાણી ચાર્જીસની રકમ કરદાતાઓ સહેલાઇથી ચૂકવી શકે તેમજ વધુમાં વધુ મિલ્કતધારકો સમાંતરે એડવાન્સ વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે “one time Installment scheme” ની મુદ્દત તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ. જેના હવે માત્ર બે દિવસ બાકી હોઈ આ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં કરદાતાઓ લઇ શકે તે હેતુથી તા.૩૦/૦૫/૨૦૨૩ તથા તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ તમામ વોર્ડ ઓફિસ ખાતે સાંજે ૬:૦૦ કલાક સુધી તથા તમામ સિવિક સેન્ટરો ખાતે રાત્રે ૮:૦૦ કલાક સુધી વસુલાત ચાલુ રાખવામાં આવશે.

Related posts

Leave a Comment