હિન્દ ન્યુઝ, રાજકોટ
મંત્રીએ એરપોર્ટ ખાતે ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું
ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી
કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે
કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ : ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે.

