નક્સલ પ્રભાવિત વિસ્તારોના યુવાનો સકારાત્મક પરિવર્તનના વાહક બની રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૫૦ જનજાતીય યુવાનો સુરતના મહેમાન બની ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે સહભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.     આ પ્રસંગે ગહલોતે જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા યુવાનો પર નક્સલવાદી ગતિવિધિઓની નકારાત્મક અસર પડે છે, જેના કારણે તેમનો વ્યક્તિગત અને શૈક્ષણિક વિકાસ અવરોધાય છે.…

Read More

ધરમપુરમાં દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ધરમપુર      ધરમપુરના વ્યાસ તીર્થ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો પાવન પ્રારંભ થયો છે. ધાર્મિક વિશ્વમાં મહત્વ ધરાવતો આ કાર્યક્રમ આ વર્ષે વિશેષ કારણોસર વધુ ચર્ચામાં છે, કારણ કે વ્યાસ પીઠના ઇતિહાસમાં પહેલી વાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્ત ભાગવત કથા વાંચન કરી રહ્યા છે. ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં આ પ્રસંગને લગતું ઉત્સાહ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે.       સવારે ધર્મુદાદા પાર્કથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. ઢોલ- નગારાના તાલ સાથે શંખનાદ, હરિભક્તોના જયઘોષ અને…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલવિહિર ગામે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના માધ્યમથી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર ગામની મુલાકાત લીધી હતી.  આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલએ ગોંડલવિહિર ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું.  પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે નવસારી જિલ્લામાં રૂ.૨૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લાના દશેરા ટેકરી ખાતે આજ રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે રૂ.૨૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકહિત અને વિસ્તારના સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ખાતમુહૂર્ત કરવામા આવ્યા હતા.               ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત જલાલપોરની નવનિર્મિત મામલતદાર કચેરી, DMF યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તેમજ પંચાયત સિંચાઈ યોજનાના ચેકડેમ કમ ટાઈડલ રેગ્યુલેટર જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામોથી…

Read More

ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) થયા સેવાનિવૃત્ત

હિન્દ ન્યુઝ, ડાંગ      રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લા પોલીસ બેડાના કર્મઠ કર્મયોગી ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) સેવાનિવૃત્ત થતા તેમને પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સહિત પોલીસ પરિવારે ભાવભરી વિદાય આપી હતી.      તારીખ ૫મી ફેબ્રુઆરી ૧૯૮૭થી પોલીસ પરિવારમાં જોડાયેલા પટેલે વલસાડ જિલ્લા ખાતે પોલીસ કો‍ન્સ્ટેબલ તરીકે જોડાઈને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બાદ વલસાડમાંથી ડાંગ (પોલીસ વહિવટી જિલ્લો) અલગ થતા સને ૧૯૯૦ થી તેમણે ડાંગ જિલ્લાને કર્મભૂમિ બનાવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી તેમણે પોલીસ વિભાગમાં કુલ ૩૯ વર્ષની સેવા બજાવી તા.૨૮ મી…

Read More

“ગાંધીનગરના આંગણે લોકકલાનો મહાકુંભ: ‘વસંતોત્સવ’નો રંગારંગ પ્રારંભ,કલાકારો‌ પોતાની કલા થકી સંસ્કૃતિ કુંજને ગજવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ તથા ‘પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુર’ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.    આ મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આવા આયોજનોથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે, અને આપણી સમૃદ્ધ હસ્તકલા…

Read More

આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીમાં અટવાયેલા નાગરિકોની વ્હારે વલસાડ-ડાંગના સાંસદ

હિન્દ ન્યુઝ, વલસાડ     હાલમાં પ્રવર્તી રહેલી આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીના કારણે ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા છે. ત્યારે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના કાર્યાલય દ્વારા આ ચિંતાજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ મદદ સાથે સુચારુ સંકલન માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેથી ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના કોઈ પણ પ્રવાસીને મદદ કે સેવાની જરૂર હોય તો તેમના પરિવારજન વિગતો મોકલી આપવા વિનંતી કરાઈ છે. જેથી બનતી ત્વરાએ જરૂરિયાત મંદોને તમામ પ્રકારની મદદ કરી શકાય તેમ સાંસદ ધવલભાઈ…

Read More

દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત દરમિયાન ૫ જેટલા અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળીને તમામ અરજીઓનો ઝડપથી નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા સુચના આપવામાં આવી હતી.     આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ દ્વારા દબાણ દુર કરવા બાબત, સ્માર્ટ સીટી યોજના હેઠળ નવા બનાવેલ અધ્યતન સ્મશાન ગૃહ કાર્યરત કરવા બાબત, જમીનની માપણી કરી જમીનનો હક અપાવવા બાબત, જુના નકશા પ્રમાણે જમીન કરી આપવા બાબત, સરકારી જમીન ઉપર બિલ્ડરો દ્વારા…

Read More

બી.આર.સી. ભવન કાલાવડ IED યુનિટ દ્વારા તાલુકા કક્ષાની PRASHAST APP તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ         તા.૨૮.૦૨.૨૦૨૬ બી.આર.સી ભવન – કાલાવડનાં IED યુનિટ દ્વારા સમગ્ર શિક્ષા – જામનગર, સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન દ્વારા વર્ષ – ૨૦૨૬ની PABમાં કેવી રીતે PRASHAST APP ચેકલીસ્ટમાં દિવ્યાંગ બાળકોને વહેલી ઓળખ કરી શકાય તે માટે કાલાવડ તાલુકાની તમામ સરકારી તેમજ અનુદાનીત શાળાઓના આચાર્ય/મુન્ય શિક્ષકની ૧(એક) દિવસીય તાલીમનુ આયોજન પીએમ વ્રજકુંવરબેન કન્યા શાળા કરવામાં આવેલ. તાલીમમાં પધારેલ તમામ આચાર્યઓનું સ્વાગત તથા પ્રાસંગીક પીએમશ્રી વ્રજકુંવરબેન કન્યા શાળાનાં આચાર્ય ધિરેનભાઈ પાટલીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.        જેમા બી.આર.સી. ભવન – કાલાવડ ખાતે…

Read More