મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં આજે રાજસ્થાનથી સખી સહેલીઓનું વર્તુળ પહોંચ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં આજે રાજસ્થાનથી સખી સહેલીઓનું વર્તુળ પહોંચ્યું હતું, તેમણે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાને સૌભાગ્ય ગણાવી વહીવટી તંત્રની વ્યવસ્થાઓની ખુલ્લા મને પ્રશંસા કરી હતી.

રાજસ્થાનથી પોતાના સખી સહેલીઓ સાથે પૂર્ણિમાજીએ જણાવ્યું હતું કે, ગિરનારની પવિત્ર ભૂમિ પર અમે પહેલીવાર આવ્યા છીએ, તેમાં પણ અમારું સૌભાગ્ય છે કે, મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે. તેમણે દેશવાસીઓને પણ આ ભૂમિ પર અચૂક આવવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, પીવાના પાણી, સુરક્ષા, આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની ખુબ સુંદર વ્યવસ્થાઓ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

તેમના અન્ય એક સાથે મીના રાઠી કહે છે કે, ૪૦ વર્ષ અમેરિકામાં રહ્યા બાદ ફરી ભારતમાં સ્થાયી થયા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ફરી આપણો ભારતીય દેશ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે, તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું કે, મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યું છે ત્યારે, આ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેમણે મહાકુંભ જેવું જ આયોજન ગણાવ્યું હતું, સાથે જ પ્રશાસનિક વ્યવસ્થાઓની પણ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. આ સાથે ભારતની પવિત્ર ભૂમિનો મહિમા કરતા તેમણે ભારતીય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment