हिन्द न्यूज, बिहार मुख्य सचिव, बिहार सरकार की अध्यक्षता में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हुई उच्च स्तरीय बैठक में प्राप्त निदेश के आलोक में जिलाधिकारी यशपाल मीणा के द्वारा बालू के अवैध खनन, भण्डारण एवं परिवहन के विरूद्ध की जा रही कार्रवाई की प्रतिदिन सुबह 10 बजे और रात्रि के आठ बजे गुगल मीट के द्वारा समीक्षा की जा रही है। आज की गयी गुगल मीट की समीक्षा में बताया गया कि आज जिला भर में कुल 68 छापेमारी करायी गयी है। अनुमंडल पदाधिकारी हाजीपुर ने बताया कि आज…
Read MoreDay: June 14, 2023
બિપરજોય વાવાઝોડા સંદર્ભે તાલુકાવાર નિમાયેલા લાયઝન અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના વિસ્તારો હાલ એલર્ટ પર છે. ત્યારે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા વાઇસ નિમણુક આપેલ લાયઝન અધિકારીઓની વાવાઝોડા અનુસંધાને રીવ્યુ બેઠક યોજાઇ જેમાં તાલુકાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. બેઠકમાં તાલુકામાંથી સર્વે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીઓ જોડાયા હતા.
Read Moreબિપરજોય વાવાઝોડાના જોખમ સામે ભાવનગર ફાયરબ્રિગેડ ‘એલર્ટ મોડ’ પર
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ મોડ પર છે. આગામી સમયમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ આવે તો તેને પહોંચી વળવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બ્રિગેડના જવાનો હાલ વાહનો તેમજ જરુરી તમામ ઉપકરણો સાથે સજ્જ છે.
Read Moreસરતાનપરમાં એક સગર્ભા અને માતા-બાળકનું સલામત સ્થળે સ્થળાંતર
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો હાલ એલર્ટ પર છે. તળાજા તાલુકાનું સરતાનપર ગામ બંદર પર વસેલું હોવાથી દરિયાકિનારે આવેલા ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા અને અન્ય એક પરિવારના આઠ મહિનાના બાળક અને તેની માતાનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાવનગરના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડૉ. ચંદ્રમણિ કુમારના વડપણ હેઠળની આરોગ્ય તંત્રની ટીમ આજે સરતાનપર બંદર અને ગામની મુલાકાતે પહોંચી હતી અને લોકોને સંભવિત વાવાઝોડાના જોખમથી વાકેફ કર્યા હતાં. આ મુલાકાત દરમિયાન દરિયાકાંઠાથી નજીકના ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા તેમજ અન્ય એક ઘરમાં…
Read Moreબિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકોનો દૌર
હિન્દ ન્યુઝ, ભાવનગર સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. આજે અહીંના તાલુકા કચેરીઓમાં તાલુકા કક્ષાની સમીક્ષા બેઠકો યોજાઇ હતી. જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજનેન્ટ તેમજ રાહત અને બચાવકાર્ય સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં અને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રબંધ વિશે માહિતી આપી હતી.
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૩-૦૬-૨૦૨૩ નાં રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવનાં કર્મચારીઓનાં ટ્રેનિંગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે…
Read Moreમહિસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મહિસાગર આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર એ જણાવ્યું હતું કે ૨૧ મી જુન નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભવ્ય રીતે અને વિશાળ જનસમુહને સાથે રાખી થવાની છે. એવામાં મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાની આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી સારી રીતે થાય તેવું આયોજન કરવા દરેક વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં ૨૧ જુને વધુમાં વધુ લોકો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં…
Read Moreબિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી
અગમચેતી એ જ સલામતી હિન્દ ન્યુઝ, બોટાદ હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ : આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી- બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી,…
Read More