પ્રધાનમંત્રી આવાસ યોજના બન્યું સગવડતાનું સરનામું : શ્રીમતિ દશરથબા ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગોહિલ પરિવારને સગવડતાનું સરનામું મળ્યું છે શ્રીમતિ દશરથબા ગોહિલ સીવણ કામ કરે છે અને તેમના પતિ સાયકલ રિપેરીંગ કરે છે ત્યારે તેમના માટે આવાસ યોજનામાં ઘર નું ઘર મળ્યું તે એથી તેમની સગવડતામાં વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાડાનાં ઘરમાં રહેવાથી અવાર- નવાર ઘર બદલવું પડતું હતું. જેનાથી ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ભાડાના ઘરથી મુક્તિ મળી અને ઘરનું ઘર મળ્યાનો આનંદ થયો છે.

આવી જ રીતે અનેક સામાન્ય પરિવારને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મળતા અનેક લોકોના પોતાના ઘરનું સ્વપ્ન સાકર થયું છે જેથી તેઓ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Related posts

Leave a Comment