રાજ્યમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલી, કલેક્ટર, DDO, મ્યુ. કમિશનર સહિતના અનેક અધિકારીઓ બદલાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      રાજ્યમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિંપાયો છે. રાજ્મયાં 77 IAS અધિકારીઓની બદલી  કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલની રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત તઓને રાહત કમિશનરનની જવાબદારી પણ અપાઈ છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની GSRTCના MD તરીકે બદલી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાંથી પી.ભારથીને શ્રમ કમિશનર બનાવાયા છે. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનની બદલી કરીને નેશનલ મિશન હેલ્થના મિશન ડાયરેક્ટર તરીકે મૂકાયા છે. મહિસાગરના કલેક્ટર આર.બી.બારડની વડોદરા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા છે. AMCના DYMC દિલીપ રાણાને આદિજાતિ વિકાસ કમિશનર બનાવાયા છે. એમ.એ.પંડ્યાને દ્વારકાના કલેક્ટર બનાવાયા છે. આણંદ કલેક્ટર આર.જી.ગોહિલને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા છે. સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિ.કમિશનર બનાવાયા છે. ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિ.કમિશનર સાથે GUDAનો વધારાનો ચાર્જ અપાયો છે. AMCના ડે.કમિશનર ડો.ઓમ પ્રકાશની બદલી મહેસાણાના DDO તરીકે કરવામાં આવી છે.
RMCના કમિશનર ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર બનાવાયા છે. મહેસાણા DDO એમ.વાય.દક્ષિણને આણંદ કલેક્ટર બનાવાયા છે. કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કેને પંચમહાલના કલેક્ટર બનાવાયા  છે. દાહોદ કલેક્ટર વિજય ખરાડીને જામનગર મ્યુનિ.કમિશનર બનાવાયા છે. AMCના ડે.કમિશનર નીતિન સાંગવાનની બદલી સાબરકાંઠા-હિંમતનગરના DDO તરીકે કરવામાં આવી છે. પાટણ DDO ડી.કે.પારેખને મનપાના પ્રાદેશિક કમિશનર તરીકે બદલી  કરવામાં આવી છે. વલસાડ DDOની નવસારીમાં બદલી. દ્વારકાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીણા અરવલ્લીના કલેક્ટર બનાવાયા છે. છોટાઉદેપુર DDOનીજામનગર DDO તરીકે બદલી કરવામાં આવી છે. RMCના DYMC બી.જી.પ્રજાપતિને આણંદના DDO બનાવાયા છે. અમદાવાદના નવા DDO તરીકે અનિલ ધામેલિયાને મૂકવામાં આવ્યા છે. અરવલ્લી-મોડાસાના DDOથી અનિલ ધામેલિયાની બદલી કરવામાં આવી છે.
જય પ્રકાશને હેલ્થ, મેડિસિન, તબીબી શિક્ષણ વિભાગના ચીફ ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો છે. જૂનાગઢ કલેક્ટર સૌરભ પારઘીને જામનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલીના કલેક્ટર આયુષ ઓકને સુરતના કલેક્ટર બનાવાયા છે. દાહોદના DDO રચિત રાજની જૂનાગઢ કલેક્ટર તરીકે બદલી  કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશને ગૃહ વિભાગના જોઇન્ટ સેક્રેટરી બનાવાયા છે. છોટા ઉદેપુરના કલેક્ટર સુજલ મયાત્રાને કચ્છના કલેક્ટર બનાવાયા છે. ડાંગના ડીડીઓ હરજી વઢાવાણીયાને તાપીના કલેક્ટર બનાવાયા એ.કે.ઔરંગાબાદકરને સુરેન્દ્રનગર કલેક્ટર બનાવાયા છે. અમદાવાદ DDO મહેશ બાબુને રાજકોટરના કલેક્ટર બનાવાયા છે. પંચમહાલના કલેક્ટર અમિત અરોરોને RMC કમિશનર બનાવાયા છે. બોટાદ કલેક્ટર વિશાલ ગુપ્તાને ગાંધીનગરના અધિક કમિશનર બનાવાયા છે. ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને અમરેલીના કલેક્ટર બનાવાયા છે. ગુજરાત વિધાનસભા સ્પીકરના પર્સનલ સેક્રેટરી એન. એન. દવેની બદલી AMCના DYMC તરીકે કરવામાં આવી છે. જૂનાગઢ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને બોટાદના કલેક્ટર બનાવાયા છે. પોરબંદરના એડિશનલ કલેક્ટર આર.એમ.તન્નાને જૂનાગઢ મ્યુનિ.કમિશનર બનાવાયા છે. આર.એ.મેરજાને એડિ.કલેક્ટરમાંથી પાટણના કલેક્ટર બનાવાયા છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment