રાજકોટ ખાતે ‘શ્રી રામ ધુન સંતવાણી મંડળ-રાજકોટ’ દ્વારા “સર્વજ્ઞાતિ સમૂહસમૂહ લગ્ન-4” નું આયોજન

હિન્દ ન્યૂઝ, રાજકોટ

      રાજકોટ ખાતે ‘શ્રી રામ ધુન સંતવાણી મંડળ-રાજકોટ’ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ માતા-પિતા હયાત ન હોય તેવા માવતર વિહોણી દિકરીઓ ના ચોથા (12 દિકરીઓના) “સર્વજ્ઞાતિ સમૂહસમૂહ લગ્ન” નું આયોજન કરે છે. આગામી 20-06-2021 ને રવિવાર ના રોજ કુલ 12 દિકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે આ દીકરીઓ માંથી કોઈ દિકરી ને માતાનો પ્રેમ નસીબમાં નથી, તો કોઈ દિકરી ને પિતાનો હાથ માથે નથી. આવા માત-પિતા વિહોણી દીકરીઓ પ્રભુતા નાં પગલા કરે એથી સરસ અને સુસજ્જિત આયોજન કરવામાં આવેલ છે.

     આ સમૂહ લગ્નનું સંપૂર્ણ આયોજન કરનાર ‘શ્રી રામ ધુન સંતવાણી મંડળ-રાજકોટ’ નાં જાગૃતિબેન સૂરજ કુમાર પંડ્યા, સૂરજકુમાર આર.પંડયા, દયારામ ભાઈ કે.પટેલ (મોરબી), અશ્વિનભાઈ માકડીયા તેમજ મહેશભાઈ પ્રવિણ રાઠોડ નાં ઓ એ સમૂહલગ્નનું આયોજન કરવામાં સંપૂર્ણ સાથ-સહકાર આપેલ છે. સાથે દાતાશ્રીઓ નાં મદદ થી દરેક દિકરીઓ ને કરીયાવર માં ચમસી થી લઈને સોનાની તેમજ ચાંદીની 145 જેટલી વસ્તુઓ આપવામાં આવેલ છે.

Related posts

Leave a Comment