રાહુલ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મહિલા અગ્રણી ઉષાબેન કુસકિયા દ્વારા અનાજ પુરવઠા થી વંચિત ગરીબોને ન્યાય આપવા મામલતદારને આવેદન

હિન્દ ન્યુઝ, વેરાવળ

     વેરાવળ ખાતે રાહુલજી ના જન્મ દિન નિમિત્તે પ્રજાકીય – સેવાકીય કામગીરીના ભાગરૂપે પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા વેરાવળ ના મામલતદાર ને એક આવેદન પત્ર પાઠવી અનાજ પુરવઠાથી વંચિત ગરીબોને ન્યાય આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવેલ હતી. આ તકે ઉષાબેન કુસકીયા એ રજુઆત માં જણાવેલ કે, ગરીબોને મળવાપાત્ર અનાજ પુરવઠો રેશનકાર્ડ ની ઠપ થયેલ કામગીરીના કારણે અસંખ્ય ગરીબ પરિવાર સરકારની યોજનાના અનાજ ના લાભથી વંચિત રહી જવા પામેલ છે. તેથી તાકીદે યોગ્ય કરી અનાજનો જથ્થો પૂરતો મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવેલ હતું. આ તકે ગરીબ મહિલાઓ આ મુદ્દે વિશાળ સંખ્યામાં કચેરીમાં ઘસી આવેલ હતી ત્યારે તંત્ર તરફથી સ્ટાફનો અભાવ તેમજ કોરોન નું કારણ આગળ ઘરી ટૂંક સમયમાં યોગ્ય કરવામાં આવશે એવી ખાતરી બાદ મહિલાઓ માં આશાનું કિરણ બંધાયેલ હતું.

     આ કાર્યક્રમ માં ઉષાબેન કુસકીયા સહિત મહિલા અગ્રણીઓ જ્યોતિબેન મકવાણા, જાસ્મીન મુરીમાં, હર્ષિદાબેન જોશી, કાજલબેન લાખણી, મંજુબેન સોલંકી, દક્ષાબેન પરમાર, રીતવેં વેગળ, મણીબેન વાજા, આરતીબેન પરમાર, લીલીબેન મુછાર, નાથીબેન ચોપડા, લીલીબેન ચાવડા, રાણીબેન કટારીયા, શારદાબેન ચાંડપા, આરતીબેન રામ, અંજુબેન માળી, નર્મદાબેન કટારીયા, ભાવનાબેન ત્રિવેદી, દયાબેન કુબાવત, શારદાબેન જેઠવા, ધર્મિષ્ઠાબેન કુબાવત, અંજુબેન પોપટ, છાયાબેન ધનેશા, સાજેદા મુસ્તાક, મુમતાજબેન કંકાસીયા, પુંજીબેન ગોહેલ, નાનુબેન ચાવડા, મંગુબેન ચાંડપ, મૂળીબેન ચાંડપા, અમરીબેન ભજગોતલ, જસીબેન ચાંડપા, હંસાબેન ચાંડપા, જયાબેન ગીરીશભાઈ, શહેનાઝબેન મકવાણા, જયશ્રીબેન પરમાર, ભાવનાબેન ગોહેલ, મંજુબેન રબારી, સાબેરાબેન બ્લોચ, સવિતાબેન પરસોતમ, હંસાબેન મુળજી, ગૌરીબેન ગોહેલ, ફરીદાબેન મન્સૂરી, ફાતમાબેન શેખ, બીબીબેન, નસીમબેન, ક્રિષ્નાબેન મેસ્વાણીયા, જયશ્રીબેન પીઠવા, મંજુબેન પોપટ, સુમનબેન લાલવાણી, સુનીતાબેન ખાનપરા, ગીતાબેન ગૌસ્વામી સહિતની મહિલાઓ ઉપસ્થિત રહ્યા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment