હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ અંગે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે અધિક કલેકટર ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજાઇ. જેમાં જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે રેમડેસીવીર ઇન્જેકશનની માંગ વધી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કાર્યરત કોવીડ હોસ્પિટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્જેશકશનનો પુરતો જથ્થો ફાળવી આપ્યો છે. જિલ્લામાં કોવીડ હોસ્પિટલ માટે ઓક્સીજનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓકસીજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ જિલ્લામાં થયેલ નથી. આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્યુ જનકાટ, પુરવઠા અધિકારી પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી…
Read MoreMonth: April 2021
વેરાવળમાં કોરોના સંક્રમણને અટકાવવા સાંજના ૪ વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉન
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વેરાવળના વિવિધ એસોસીએસનના પ્રતિનિધીઓએ કોરોના સંક્રમણ નાથવા વેરાવળ શહેરમાં સાંજના ૦૪:૦૦ વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ. આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપારીઓ તેમના વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. આજે સરકારી હોસ્પિટલ રોડ, સટ્ટાબજાર, ટાવરચોક સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા. સ્વૈચ્છીક લોકડાઉન સફળ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સહયોગ મળી રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે બીન જરૂરી લોકોને બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા જણાવ્યું હતું
Read Moreતારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ
હિન્દ ન્યૂઝ, ચોટીલા આજરોજ ડેપ્યુટી કલેકટર ઓફિસ માં મળેલી મીટિંગ માં નકકી થયા મુજબ ચોટીલા ના વેપારી ભાઈઓને જણાવવા નું કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દુકાનો ખૂલ્લી રાખવાની છે ત્યારે બાદ તારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ રાખવાની રહેશે અને બીજું ખાસ કે ચોટીલા માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ સતત બંધ રહેશે અને શાકભાજી ના વેપારી ભાઈઓ આ સમય દરમ્યાન બપોરે ૧ વાગ્યા સુધી તેમનો વેપાર ચાલુ રાખી શકશે. તો આવો સૌ સાથે મળીને કોરોના ને હરાવીએ અને…
Read Moreઅરવલ્લી ખાતે કોરોના મહામારી ને લઈ વધુ એક મંદિર બંધ કરાયું
હિન્દ ન્યૂઝ, અરવલ્લી મોડાસાના સાકરીયાનું સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર બંધ કરાયું કોરોના મહામારી ને લઈ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું 17 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ રહેશે ગુજરાતમાં એક માત્ર સુતા હનુમાન છે સાકરિયામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો નિર્ણય દર્શનાર્થીઓએ મંદિરે દર્શન કરવા ન આવવા અપીલ રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા
Read Moreદિયોદર પ્રાંત કચેરી ખાતે વહેપારી અને વહીવટી તંત્ર ની અગત્ય બેઠક યોજાઇ
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં સતત કોરોના વાઈરસ ના કેસો માં વધારો થઈ રહો છે જેમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા દરેક તાલુકા ના વહીવટી અધિકારી સાથે બેઠક યોજાયા બાદ આજરોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ના અધ્યક્ષ સ્થાને દિયોદર ના વહેપારીઓ અને અગ્રણી સાથે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં જિલ્લા માં વધતા જતા કોરોના વાઈરસ ના કેસો સામે દરેક વહેપારીઓ નિયમ નું કડક પાલન કરવા તેમજ સોસીયલ ડિસ્ટન સાથે પોતાના ધંધા રોજગાર ચલાવે તેવી સૂચના આપવામાં આવી હતી જેમાં લગ્ન પ્રસંગ જેવા કાર્ય માં…
Read Moreદિયોદર પોલીસ દ્વારા બેનર બનાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ
કફન થી નાનું છે માસ્ક પહેરી લો હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે અને પરિસ્થિતિ વિકટ બનતી જાય છે હાલ રાજ્યમાં મહામારીની બીજી લહેર લોકો માટે જીવલેણ પુરવાર થાય તો પણ નવાઈ નથી ત્યારે લોકો પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની સેફટીનું સહેજ પણ ધ્યાન રાખતા નથી. જેમકે માસ્ક પહેરો સલામત રહો વારંવાર સેનેટ્રાઇજ અને સાબુ થી હાથ ધોવા જેવી અનેક પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની જરૂર છે ત્યારે બજાર હોય કે શેરી માહોલા કે પછી ધાર્મિક પ્રસંગ હોય કે મેળાવડો લોકો…
Read Moreનર્મદા જિલ્લામાં તા. ૧૪ મી ના રોજ ૪૫ વર્ષથી વધુની વયના ૧૮૭૦ નાગરિકોએ રસી લીધી
હિન્દ ન્યૂઝ ,નર્મદા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોરોના વિરોધી રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે નાંદોદ તાલુકાના રાજપરા, નવા રાજુવાડીયા ગામ સહિત જિલ્લાના ૨૦૫ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતેથી કોવિડ-૧૯ વેક્શીનેશન અભિયાન હાથ ધરાયું છે. આજે તા.૧૪ મી ના રોજ બપોરના ૪:૦૦ વાગ્યા સુધી ૧૮૭૦ જેટલાં નાગરિકોએ રસી લીધી હતી. જિલ્લામાં આજદિન સુધી…
Read Moreશુક્રવારથી પોઈચા પુલ નાના વાહનો માટે શરૂ કરાશે, ભારદારી વાહનો માટે પોઈચા પુલ હજીયે બંધ
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા નદી ઉપર પોઈચા ખાતે શ્રી રંગ સેતુ પુલ ધરતીકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો તેનું રીપેરેશનનુ કામ ચાલુ હતું. તા.૧૬/૪/૨૦૨૧ ને શુક્રવારના રોજથી નાના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવનાર છે. તેવી માહિતી ડભોઇ માર્ગ અને મકાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે. જ્યારે ભારદારી વાહનો માટે પોઈચા પુલ હાલમાં બંધ છે. અત્યારે કોરોના વાયરસ મહામારીનુ સંકમણ વધી રહ્યું છે. ત્યારે એમ્બ્યુલન્સ ૧૦૮ જેવા મેડિકલ વાહનો અને ઓક્સિજન માટેના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જીલ્લા માથી કોરોના મહામારી વાળા…
Read Moreદિયોદર પોલીસ દ્વારા બજારની અંદર દંડાત્મક કાર્યવાહી કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્યમાં કોરોના કહેર યથાવત છે ત્યારે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેશ વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે દિયોદર તાલુકામાં કોરોના કેસો નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બજારમાં લોકો અને દુકાનદારો માસ્ક વગર જોવા મળ્યા હતા ત્યારે દિયોદર પોલીસ દ્વારા બજારની અંદર માસ્ક વગર ફરતા લોકો તેમજ વેપારીઓ માસ્ક વગર દેખાતા હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અને વેપારીઓ તેમજ લોકો ને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે પોલીસ કર્મીઓ દ્રારા પણ થોડા દિવસો પહેલા માર્ચ રેલી યોજી લોકોને કોરોના…
Read Moreરાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જીલ્લામાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો
હિન્દ ન્યૂઝ, અરવલ્લી રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ(GVK EMRI) દ્વારા સંચાલિત તા.10 એપ્રિલ ૨૦૨૧ ના રોજ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ ખાતે 20 જેટલી ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું હતું. જે અંતર્ગત એક ધન્વંતરી આરોગ્ય રથ અરવલ્લી જીલ્લા માટે ફાળવેલ હતો. જેનું આજ રોજ અરવલ્લી જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે રિબીન કાપીને “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ. અરવલ્લી જીલ્લાના શ્રમિક લોકોને લાભ લેવા માટે “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ. જે અનુસંધાને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા GVK EMRI 108 વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.…
Read More