તારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ

હિન્દ ન્યૂઝ, ચોટીલા

      આજરોજ ડેપ્યુટી કલેકટર ઓફિસ માં મળેલી મીટિંગ માં નકકી થયા મુજબ ચોટીલા ના વેપારી ભાઈઓને જણાવવા નું કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દુકાનો ખૂલ્લી રાખવાની છે ત્યારે બાદ તારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ રાખવાની રહેશે અને બીજું ખાસ કે ચોટીલા માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ સતત બંધ રહેશે અને શાકભાજી ના વેપારી ભાઈઓ આ સમય દરમ્યાન બપોરે ૧ વાગ્યા સુધી તેમનો વેપાર ચાલુ રાખી શકશે. તો આવો સૌ સાથે મળીને કોરોના ને હરાવીએ અને સંપૂર્ણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરીએ. એવું રણજીતસિંહ ચૌહાણ પ્રમુખ અને મુકેશભાઈ શાહ સેક્રેટરી ચેમ્બર ઓફ કૉમર્સ ચોટીલા ની યાદી માં જણાવ્યું છે. 

રિપોર્ટર : અજીત ચાંવ ,ચોટીલા

Related posts

Leave a Comment