હિન્દ ન્યૂઝ, દિયોદર રાજયમાં કોરોના ના કહેર વચ્ચે કોરોના ની અસર પર કાબુ મેળવવા આજે દિયોદર સરપંચ સંગઠન ની દિયોદર પ્રાંત અધિકારી એ મીટીંગ બોલાવી અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ વધવાની સાથે કોરોના કારણે મૃત્યુ આંક માં વધારો જોતા ચિંતા જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દિયોદર મા પણ કોરોના વિસ્ફોટ થી વહીવટી તંત્ર દ્વારા અને આરોગ્ય વિભાગ સાથે દિયોદર તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે બપોરે અગત્યની બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેશોમાં વધારો ના થાય તેને લઈ સ્વૈચ્છિક રીતે ગામડાના લોકો શહેર તરફના આવવા માટે અને કોરોના…
Read MoreMonth: April 2021
હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવેલા કુલ ૧૪૭ મુસાફરોનું રેલ્વે સ્ટેશન ખાતે મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ
૧૩ મુસાફરો પોઝિટિવ (૯ દર્દી રાજકોટના અને ૪ દર્દી અન્ય શહેરના) આવતા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ હિન્દ ન્યૂઝ, રાજકોટ હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ જંકશન ખાતે ઉતારતા મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે સવારે ૦૮:૧૫ કલાકે દહેરાદુન – ઓખા (ઉતરાંચલ એક્ષપ્રેસ) ટ્રેન રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી ૧૪૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા…
Read Moreદેવગઢ બારિયા નગર મા મુકવામાં આવેલા પાણી ના એટીએમ સોભાના ગાથીયા સમાન
હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા દેવગઢ બારિયા નગર મા જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલા પાણીના એટીએમ ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે. એકબાજુ ઉનાળાની સિઝન શરૂ થઈ ગયી ત્યારે નગર મા મુકવામાં આવેલા પાણીના એટીએમ મશીન બંધ હાલતમાં છે. જેથી નગર મા આવતા રાહદારીયોને મોંઘા ભાવે પાણી લઈ પીવા મજબુર બનયા છે. તંત્ર વહેલામાં વહેલી તકે આ પાણી ના એટીએમ મશીન ચાલુ કરે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. રિપોર્ટર : મફત ફેઝાન, દેવગઢ બારિયા
Read Moreનવપદ હાઇસ્કુલ ના વિકાસ માં 30 વર્ષ સુધીના કાર્યકાળમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રવીણ ભાઈ શાહ ને સંસ્થાના કાર્યકરો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ
હિન્દ ન્યૂઝ, ડભોઇ આજરોજ ડભોઇ નવપદ સાર્વજનિક હાઇસ્કૂલના સંકુલમાં સંસ્થાને ઊભી કરી તેનો હરણફાળ વિકાસ માં મુખ્ય ફાળો એવા પ્રવિણભાઈ નગીનભાઈ શાહ કે જેઓ તારીખ ૧૩/૦૪/૨૧ના રોજ અરિહંત શરણ થયા હતા. જેથી આજરોજ શાળાના સંકુલમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના ટ્રસ્ટી મંડળના આગેવાનો તેમજ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર સભા નવપદ હાઈસ્કૂલના પરિવાર તરફથી “આદર્શ શિક્ષણ રત્ન” પણ તેઓને આપવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજ દ્વારા આશીર્વાદ વચન આપી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ દરમિયાન સૌ સભ્યોની અશ્રુભીની થઇ હતી. પ્રવીણભાઈ શાહ…
Read Moreવેરાવળ-પાટણ નગરપાલિકા ના પ્રમુખ પીયૂષભાઈ એ વોર્ડ ની મુલાકાતે
હિન્દ ન્યૂઝ, વેરાવળ આજ રોજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ખૂબ જ સક્રિય એવા પ્રમુખ પિયુષભાઈ દ્વારા વોર્ડ ન.5 મા આવેલ ગોદરશા ના તળાવ ની મુલાકાત લીધેલ હતી. તેમજ આ તલાવને અને વેરાવળ શહેર મા આવેલ અન્ય તળાવો ને પણ આવનાર સમયમાં બ્યુટીફીકેશન કરવામાં આવશે અને વિસ્તાર મા પાણી વ્યવસ્થિત રહે તે માટે ના પ્રયત્નો કરવામાં આવશે. *આ ઉપરાંત વોર્ડ ન. 5 મા જરૂરી સેવાઓને જેમ રસ્તા, ગટર, પાણી, લાઈટ તેમજ અન્ય સુવિધાઓ થી સજ્જ આ વિસ્તારને પણ અન્ય વોર્ડ ની જેમ બનાવવામાં આવશે અને પ્રિ મોન્સૂન એટલે ચોમાસા પહેલા જ…
Read Moreડભોઇ નગરમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા માર્ચ – ગુમાસ્તાધારા ના કાયદાનું અમલીકરણ
હિન્દ ન્યૂઝ, ડભોઇ હાલમાં ડભોઇ – દભૉવતી નગરીમાં કોરોના સંક્રમણના કેસમાં ધડખમ વધારો થઇ રહ્યો છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારી મિત્રો માં સંક્રમણ વધે નહીં તે માટે પાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજી ને વેપારી મિત્રોને જાગૃત કર્યા હતા. જે વેપારી મિત્રો માસ્ક, સેનેટાઈઝ અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરે તો તેવા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી, પાંચ દિવસ માટે દુકાન સીલ કરી, દંડની વસૂલાત કરવામાં આવશે સાથે સાથે ડભોઇ નગરમાં ગુમાસ્તાધારા કાયદાનું સરેઆમ મજાક થઈ રહી છે.…
Read Moreદિયોદર પોલીસ સ્ટેશનમાં કોરોનાનો પગ પેસારો, ૦૯ પોલીસ કર્મી થયા કોરોના પોઝીટીવ
હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે.ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પણ કોરોના માં સપડાયું છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસ કોન્સ્ટેબલ સહિત ડી.વાય.એસ.પી કચેરી માંથી એક સહિત કુલ નવ પોલીસ કર્મી કોરોના માં સપડાયા છે. જે લોકો કોરોના માં પ્રજા ને જાગૃત કરનાર ખુદ કોરોના વોરીયર્સ…
Read Moreદિયોદર તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ
હિન્દ ન્યૂઝ, દિયોદર અત્યારે બનાસકાંઠા જિલ્લાની કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ ખુબજ ગંભીર ચાલી રહી છે. ખેડૂતો ને ખુબજ અવર જવર કરવા અને ખેતીના પાકોમાં ભાવ ઘટતાં ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. એક એક બાજુ પાણીના તળ ઊંડા જતા નવા એક હજાર ફૂટથી ઊંડા બોર કરવા ખેડૂત મજબુર બન્યો છે ત્યારે મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે હાલની વર્તમાન સરકાર દ્વારા દિયોદર લાખણી અને ડીસા વિસ્તારમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડી પાણીના ના તળ ઉંચા આવે અને આ વિસ્તારના ખેડૂતો પોતાના બોરવેલ મોંઘવારીના ભરડામાં સહેલાઇ થી ચલાવી…
Read Moreમાંગરોળ વેપારીઓ અને આગેવાનો ની મિટિંગ મળી, 30 એપ્રિલ સુધી બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનનું નક્કી
હિન્દ ન્યૂઝ, માંગરોળ હાલમાં દેશ રાજ્યની ની સાથે જૂનાગઢ જિલ્લાના અને માંગરોળ તાલુકામાં પણ કોરોના ના કેસો વધી રહયા છે ત્યારે લોકો વધારે એક બીજાના સમ્પર્ક માં ના આવે તેના માટે શહેરના વેપારી આગેવાનો ની મીટીંગ ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ મળી હતી. આ મિટિંગ માં ઘણી બધી ચર્ચાઓ બાદ જીવન જરૂરી વસ્તુઓ દવા દૂધ વગેરે સિવાયની દુકાનો 19 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રાખવી તેમજ ત્યાર બાદ બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ખાણી પીણી અને…
Read Moreડભોઇ – દર્ભાવતીના પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પ્રતિવર્ષ ની જેમ ડભોઇ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની પધરામણી
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ પંડ્યા શેરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને મંદિરના કોઠારી, ભગતજી અને વડીલ ભક્તો ડભોઇના અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પધરામણી સ્વરૂપે પહોંચ્યા હતા અને મંદિરના ભગતજી અને કોઠારી પાસેથી મળતી મુજબ આ પધરામણી છેલ્લા કેટલાય વર્ષોથી ૧૭ મી એપ્રિલના રોજ કરવામાં આવે છે. મંદિર ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજથી ૨૨૨ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે ૧૧ વર્ષની ઉંમરે સમગ્ર ભારતમાં વનવિચરણ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ કરનાળિ કુબેરદાદાના મંદિરે થઈ દભૉવતિ નગરી માં આવેલ અતિપ્રાચીન…
Read More