હિન્દ ન્યૂઝ, ઈડર ઈડર તાલુકા ના ગણેશપુરા ગામ માં કૉવીડ-19ની વેક્સીન ની પહેલા તથા બીજા તબક્કા ની કામગીરી શરુ તા. 3.2.21ના રોજ ગણેશપુરા તથા શેરપુર તથા નેત્રામલી ગામ ના 45 થી વધુ ઉમર ના માટે કૉવીડ-19ની વેક્સીન માટે ની કામગીરી ચાલુ કરેલ જેમા આજુ બાજુના દરેક નાગરીકને વેક્સીન નો લાભ લીધો હતો અને આ મહામારી થી બચવા લોકો ઊમટી પડ્યા હતા અને દરેક નાગરીક સરકાર નાં ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સ તથા માસ્કનુ પાલન કરેલ. જેથી આ સંક્રમણ ને નાથી સકાય. રિપોર્ટર : હસન…
Read MoreMonth: April 2021
ચોટીલા-થાન તરફ જતા મોર્ડન સ્કૂલ માં કોરોના નો પગ પેસરો થયાની ચર્ચા
હિન્દ ન્યૂઝ, ચોટીલા સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી છાત્રાઓ સંક્રમણ આવી શિક્ષકો પણ કોરોના વાયરસમાં સંક્રમિત થયાની ઉઠી ચર્ચા બહારગામ થી અપડાઉન કરતા શિક્ષકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા કોરોના વાઇરસની બીજી લહેરમાં 38 શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સહિત કુલ 47 લોકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા હાલ શિક્ષણ વિભાગનાં અધિકારી તેમજ આરોગ્ય કર્મચારીઓ સ્થળ પહોંચ્યાનું બહાર આવ્યું રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા
Read Moreમારૂતી ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર ઇસમને પકડી પાડતી શામળાજી પોલીસને મળેલ સફળતા
હિન્દ ન્યૂઝ, મોડાસા અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે અન્વયે બી.બી.બસીયા ના.પો.અધિ.મોડાસા વિભાગ મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે આજરોજ અણસોલ ચેક પોસ્ટ ઉપર પો.સબ.ઇન્સ એ.આર.પટેલ તથા ફરજ ઉપરના પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મારૂતી એસએક્સ ફોર ગાડી નંબર. DL9CX 4151 નો ચાલક પોતાના કબ્જાની મારૂતી એસએક્સ ફોર ગાડીમાં શીટમાં ગુપ્ત ખાનું બનાવી ગુપ્ત ખાનામાં પ્રોહી પ્રતિબંધક…
Read Moreથરાદ ખાતેથી ૪ લાખથી વધુની કીંમતના સ્મેક ( હેરોઈન) સાથે એક મહીલા સહીત ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી SOG બનાસકાંઠા
હિન્દ ન્યૂઝ, થરાદ IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના એ.એસ.આઈ. કાંતીલાલ, હેડ.કો. ગીરીશભારથી તથા દિલીપભાઈ તથા ભરતસિંહ તથા પો.કો. દિલીપસિંહ તથા ભોજુભા તથા નરભેરામ તથા સાયબર સેલના પો.કોન્સ. પ્રકાશચંદ્ર તથા ડ્રા.પો.કો.દલજીભાઈ તથા સરદારભાઈ તથા વુ.પો.કો.કમળાબેન થરાદ પોલીસ સ્ટેશન…
Read Moreદિયોદરમાં ઐતિહાસિક જોગમાયા મંદિર ખાતે પહેલી વખત રમેલનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે ભક્તો દર્શનનો લ્હાવો લે છે ત્યારે આ વખતે જોગમાયા મંદિર ખાતે ફાગણ વદ સાતમ ને તા. 3- 4- 2021 શનિવાર ને રાત્રી ના સમયે ભવ્ય (જાતર ) રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાગણ વદ આઠમ ને રવિવાર સવારે તેલ ફૂલ ચલાવવામાં આવ્યું હતું અને માતાજી નો પ્રસાદ સૌ કોઈ ભક્ત સમુદાયે લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે ત્યાં રાવળ દિનેશભાઇ મફાભાઇ અને રાવલ ભીખાભાઇ…
Read Moreથરાદના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયનો કરાયો શુભારંભ
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચોથા તબક્કાનો જળ સંચય શુભારંભ સંસદના હસ્તે કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાલુકા વાહી અમુક ગામોને સુજલામ સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનું જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવતાં ગુરુવારે કિયાલ ગામને આવરી લેવામાં આવતાં તળાવો ઊંડા કરવા ખેડૂતો કોઈપણ પ્રકારની મંજૂરી પરવાનગી મેળવ્યા વગર ખેડૂતો પોતાના ખેતરોમાં માટી લઈ શકશે. સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના મુજબ 60 દિવસ સુધી ખેડૂતો માટી લઈ જઈ શકશે તેમાં કોઈપણ…
Read Moreસુત્રાપાડા ખાતે જી.એચ.સી.એલ. કર્મચારીઓનું કોવીશીલ્ડ રસીકરણ
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોવીશિલ્ડ રસી આપવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ૬૦ થી વધુ જગ્યાએ રસકરણની કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રાપાડાના અનુરાગ નગર ખાતે હેંમતભાઇ વાળાએ રસી લેતા જણાવ્યું હતું કે, પ્રથમડોઝ લીધા પછી મને કોઇ આડઅસર થયેલ નથી. બીજો ડોઝ લીધા પછી હું સ્વસ્થ છું. કોઇ પણ તકલીફ થયેલ નથી લોકોએ અવશ્ય રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં સહભાગી થવું જોઇએ. ચડાસણીયા મુળજીભાઇ…
Read Moreઅંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ભોજન નિઃશુલ્ક કરવા ભક્તોની માંગ
હિન્દ ન્યુઝ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ માત્ર એક ટહેલ નાખે તો 365 દી સદાવ્રતમાં દાણો પણ ન ખૂટે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભોજન ગ્રહણ કરાવતા ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયને યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવા વિશ્વભરમાં વસતા માઈભક્તોમાં માંગ ઉઠી છે. વિશ્વભરમાં વસતા માઇભક્તોની આસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ યાત્રાધામ અંબાજીને દેવસ્થાન ટ્રસ્ટની એક માત્ર ટહેલને લઈ માતાજીનું મંદિર સુવર્ણમય બની ગયું. હજુ પણ દાનવીરોના દાનનો પ્રવાહ અવિરત જોવા…
Read Moreકોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી યોજાતી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” ચાલુ વર્ષે જાહેરહિતમાં મોકૂફ
હિન્દ ન્યૂઝ, રાજપીપળા કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” શરૂ થાય છે અને ચૈત્ર વદ અમાસના રોજ પરિક્રમાની પૂર્ણાહુતિ થાય છે. “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” માં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોય છે. અન્ય પડોશના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આ પરિક્રમામાં ભાગ…
Read Moreવડતાલ મંદિરમાં સોમવારથી ભોજનાલય અને ઉતારા બંધ રહેશે
હિન્દ ન્યૂઝ, વડતાલ ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગીઓને જાણાવવાનું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વડતાલ મંદિર માં તા. 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા બંધ રાખેલ છે. જ્યારે દેવદર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે. મંદિર પ્રશાસને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ
Read More