હિન્દ ન્યૂઝ, વડતાલ
ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગીઓને જાણાવવાનું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વડતાલ મંદિર માં તા. 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા
બંધ રાખેલ છે. જ્યારે દેવદર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે. મંદિર પ્રશાસને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ