વડતાલ મંદિરમાં સોમવારથી ભોજનાલય અને ઉતારા બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, વડતાલ

ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગીઓને જાણાવવાનું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વડતાલ મંદિર માં તા. 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા
બંધ રાખેલ છે. જ્યારે દેવદર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે. મંદિર પ્રશાસને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment