હિન્દ ન્યૂઝ, કચ્છ તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ મૂળનિવાસી બહૂસંખ્ય સમાજ દ્વારા રાપર માં થયેલ દેવજીભાઈ ની હત્યા તેમજ હાથરસ માં બનેલ ઘટના માં મનીષા બહેનનું બળાત્કાર કરીને, જીભ કાપીને માનવતા ને સરમસાર કરી છે. તેમજ લાશને પરિવારજનોને ન આપતા પ્રશાસન દ્વારા સળગાવી દીધી. આથી આ ઘટનાં તેમજ દેશ આખામાં થઈ રહેલ બળાત્કાર તેમજ હત્યાઓ નો જાહેર માં વિરોધ પ્રદર્શન કરવા બહુજન સમાજ (મેઘવાળ, મુસ્લિમ, સિખ, બુદ્ધિસ્ટ, ઈશાઈ, બક્સીપંચ, પછાતવર્ગ) તમામ ભારતના મૂળનિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મહારેલી નું આયોજન ભુજ ખાતે રાખવામાં આવ્યું. તેમજ સરકાર વિરોધ ના સૂત્રોચારણ કરીને વિરોધ…
Read MoreDay: October 15, 2020
રાજકોટ શહેર ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેમની કાબેલીયત અને સિનિયોરટીને ધ્યાને લઇને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા ખાસ પ્રકારની એપ્લીકેશન લોંચ કરી છે. અને આ એપના ઉપયોગથી કામગીરી વધુ અસરકારક બની છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં એડીશનલ D.G.P ક્ક્ષાના અધિકાર રેન્જ I.G.P તરીકે D.I.G કક્ષાના અધિકારીઓ છે. આશિષ ભાટિયા પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા હતા. એ સમયે રાજકોટના બે ચકચારી અપહરણ સહિત રાજ્યના અન્ય શહેર, જીલ્લાના ગંભીર બનાવોમાં તેમના અનુભવના આધારે ભેદ ઉકેલ્યા હતા. સિનીયર અધિકારીઓની અનુભવથી પોલીસની કામગીરીને વધુ નિખારી શકાય અને જૂનિયર અધિકારીઓને માર્ગદર્શન મળી રહે એ માટે એડીશનલ D.G.P કક્ષાના મનોજ અગ્રવાલ જેવા…
Read Moreરાજકોટ ખાતે સામાન્ય બાબતમાં બોગસ Facebook I.D થી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, ૧૫ દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. ૧૭ માર્ચના રોજ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ Facebook I.D બનાવી અને એ I.D ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર…
Read Moreરાજકોટ શહેર ના હડમતાળા નજીકથી L.C.B અને S.O.G પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G અને L.C.B પોલીસે બાતમીના આધારે હડમતાળા થી ભુણાવા ગામ તરફ જતા રોડ પરથી L.C.B P.I એ.આર.ગોહીલ S.O.G જયવિરસીંહ રાણા સહીતનાઓએ RJ-27-5454 નંબરનો ટ્રકની તલાશી લેતા ચુનાની બોરીની આડમા છુપાવેલ તેમાથી ૬૪૫૬ બોટલ વિદેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસ ટ્રક ચાલક રાજસ્થાનના પર્વતસીંગ ભવરસીંગ સીસોદીયા રહે. મુળ.ભાગલ ગામ. કુંતવાસ રાજસ્થાનના ને રંગે હાથ જડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીરામ ઉર્ફે લચ્છીરામ આહિરને પકડવા તપાસ તેજ કરી છે. પોલીસે ટ્રકમાથી ૭૫૦ M.L ની ૧૫૬૦ બોટલ અને ૧૮૦ M.L ની ૪૮૯૬ બોટલ બંનેની…
Read Moreછોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ સમારંભ યોજાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના વડાથમક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સવાસદનના પટાંગણમાં જિલલા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ મહામારીના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ આવે એ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ અંગે જાગૃતિ આવે એ માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનીટાઇઝરનો ઉપયોગ અને ૬ ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે. દેશમાં શરૂ કરવામાં આવેલા જનઆંદોલનના ભાગરૂપે…
Read Moreછોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા કોવિડ-૧૯ને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડયું
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર) ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૬/૧૦/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવામાં માટે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર…
Read Moreપાવી નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવરને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ જે અન્વયે ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે પાવી ગામે ગરનાળા પાસેથી “ટ્રક નંબર-GJ-04-V-6942” ની અંદર ભરી લઇ જવાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.…
Read Moreમાર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ આજે જાહેર થવા પામ્યું હતું. માર્કેટ યાર્ડ ની કુલ 16 બેઠક પર બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક માટે બુધવાર ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 98.62 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું હતું. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી ની હાજરી માં 6 બુથ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વહેપારી વિભાગ 4 બેઠક પર વર્તમાન શિવાભાઈ ભુરિયા ની પેનલ જીત થઈ હતી. જો કે ખેડૂત…
Read Moreખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર માં નવરાત્રી મહોત્સવ નહિ યોજાય
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા કોરોના વાયરસ ના સંક્રમણ ના કારણે સરકાર ની ગાઇડલાઈન મુજબ અંબિકા માતાજી મંદિર અને ટ્રસ્ટ દ્વારા આ વર્ષ તારીખ ૧૭/૧૦/૨૦૨૦ થી ચાલુ થતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મુલતવી રાખવામાં આવેલ છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન મંદિર ના પટાંગણ માં ગરબા રમવામાં નહિ આવે. આ દરમિયાન મંદિર મા નિયમિત પણે આરતી પૂજન તેમજ શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર નવરાત્રિમાં અનુષ્ઠાન કરવામાં આવશે. આ નવરાત્રી દરમિયાન મંદિર માં દર્શન માટે આવતા યાત્રિકો માટે દર્શન કરવા રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી ઓ પૈકી બાળકો તેમજ વૃદ્ધો ને…
Read More