ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૨, ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા/તાલુકા પંચાયત તથા વેરાવળ-પ્રભાસપાટણ અને ઉના નગરપાલિકાની સમાન્ય ચૂંટણી નવેમ્બર ડિસેમ્બર-૨૦૨૦માં યોજાનાર છે. તા.૦૯-૧૦-૨૦૨૦ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. ફોટાવાળી આખરી મતદારયાદી તા.૨૩-૧૦-૨૦૨૦ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. પોતાના નામની મતદારયાદીમાં ચકાસણી માટે મતદાર નોંધણી અધિકારી, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે. આ અંગે સબંધિત દાવા મતદાર નોંધણી અધિકારી પાસે છેલ્લી તા.૧૪-૧૦-૨૦૨૦ સુધીમાં રજુ કરી શકાશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો છે. જિલ્લા અને…

Read More

શિયાળા ની ૠતુ (ઠંડીની મોસમ) માં નર્મદા જીલ્લાનુ સૌથી લોકપ્રિય ફળ ‘સિતાફળ’

હિન્દ ન્યૂઝ, નર્મદા, હાલની ઠંડી ની શરૂઆત ની મોસમ માં શિયાળાની શરૂઆતમાં નર્મદા જીલ્લાનુ સૌથી લોકપ્રિય અને ઉત્તમ મનાતુ ફળ અેટલે સિતાફળ. નર્મદા જીલ્લા ની આસપાસ ના ડુંગર વિસ્તારમા કુદરતી પરિસ્થિતિમાં થતુ આ ફળ શિયાળામાં ખૂબ લોકપ્રિયતા છે. રાજપીપલા ની આસપાસના વિસ્તારોના ગામો, બારાખડી, ધિરખાડી, ઝરવાણી જેવા ડુંગર વિસ્તાર ના લોકો સિતાફળ ના વેચાણ માટે ટોપલા ભરી ભરીને વહેલી સવારે રાજપીપળા ના બજાર માં લાવતા હોય છે અને આજીવિકા મેળવે છે. રાજપીપલા થી અંકલેશ્વર, ભરુચ, સુરત સુધિ સિતાફળ વેચાણ માટે મોકલવામાં આવે છે. આમ મોટા શહેરોમાં પણ સિતાફળ ની બોલબાલા…

Read More

COVID-19 અંતર્ગત માહિતી૧૩/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા, નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૪૦ ટીમો…

Read More

અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજય રથનું પરીભ્રમણ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,                      કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યું છે. અરવલ્લી જિલ્લા મા કોવિડ વિજય રથ ને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, વૉલ્વા, મુંશીવાડા, છીનાવાડ, નાથાવાસ, કૂંભેરા, મેઘરજ, વાસણા,…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૩, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથનાં સંયુક્ત ઉપક્રમે કોડીનાર કેવીકે ખાતે કપાસમાં ગુલાબી ઇયળ અને મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે ઓન લાઇન વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ ડી.બી.ગજેરાએ ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોના કલ્યાણ માટે પણ સાચુ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.એચ.ગઢીયાએ હાલની ગીરસોમનાથ જિલ્લાની કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી. વૈજ્ઞાનિક અને કેવીકેના વડા જીતેન્દ્ર સિંહે હાલમાં સાંસદમાં મંજૂર થયેલા કૃષિ…

Read More

શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ તરફથી ચોટીલા પગપાળા દર્શન કરવા જતા યાત્રાળુઓને ઉતારા ની સાથે ચા-પાણી, નાસ્તા ની વ્યવસ્થા

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ, ટૂંક સમય માં માતાજી ના નોરતા સરું થવાના હોય તે અનુસધાને આજ રોજ શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ -ગીર સોમનાથ થી ચોટીલા સુધી જવા પગપાળા ચાલીને ને દર્શન કરવા જતાં જૂનાગઢ મુકામે મજેવડી દરવાજા પાસે પહોંચતા પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન, સંગઠન મંત્રી જૂનાગઢ યોગેશભાઇ ચાવડા દ્વારા તમામ ૧૨૦ યાત્રીકોનું સ્વાગત કરેલ અને ચોટીલા મંદિર સુધીમાં રસ્તા માં અમારી કોઈપણ મદદ ની જરૂર હોય તો ચોક્કસ જણાવશો. એવી ખાત્રી આપી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરાજસિંહ અને ડૉ. મકવાણા અને વનરાજસિંહ તરફ થી તમામ મિત્રોને મદદ ની ખાત્રી…

Read More

ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા ગ્રામજનો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, ડીસા, ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા લોકો અવર જવર માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે લોકોએ વારંવાર ગ્રામ પંચાયત માં રજૂઆત કરવા છતાં હજુ સુધી રોડની હાલત ‘જેસે થી વેસે હી હે,’ લોખમુખે ચર્ચાઈ રહ્યું છે કે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નવા રોડ જો દોઢ વર્ષમાં (18 -મહિનાની અંદર) તૂટી જતા હોય તો આનાથી મોટો ભષ્ટાચાર કોન્ટ્રાક્ટર કે તલાટી કે પછે સરપંચ હોઈ શકે. આ રોડ ના કોન્ટ્રાક્ટર જવાનસિંહ સોલંકી બનાવ્યો હોવાના લોકમુખે જાણવા મળી રહ્યું છે.…

Read More

ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણ ગામમાં યુવાન તળાવમાં હાથ પગ ધોવા જતા મોત નીપજ્યું

હિન્દ ન્યૂઝ, ડભોઇ, બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણ ગામ તળાવ પાસે યુવાન મજૂરી કરવા ગયો હતો, જ્યાં તળાવમાં હાથ પગ ધોવા જતા દરમિયાન પગ લપસી પડતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ડભોઇ નગરના સુરજ ફળિયા ખાતે રહેતા જયંતિ ભાઈ ગરભડભાઈ વસાવા ઉ , 27 ડભોઇ તાલુકાના વઢવાણ ગામે મજુરી કામે ગયો હોય મજૂરી કામ કરી પરત ઘરે આવતા દરમિયાન વઢવાણા ગામના તળાવમાં હાથ પગ ધોવા ગયો હતો. તે વખતે પગ લપસી પડતા તળાવ ના ઉંડા પાણીમાં ડૂબી જવાથી ગામના ચોરા પર બેઠેલા લોકોએ જોઇ જતા ગામના તરવૈયાઓ…

Read More