છોટાઉદેપુર ખાતે યોજાનારી ડી.એલ.એડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ.

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, આગામી તા. ૧૨/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ડી.એલ.એડની પરીક્ષા એસ.એફ.હાઇસ્કૂલ, છોટાઉદેપુર ખાતે યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરોકત તારીખો દરમિયાન છોટાઉદેપુર ખાતે યોજાનારી ડી.એલ.એડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં અને મુકત અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતી ન થાય એ માટે જાહેરનામું બહાર પાડી છોટાઉદેપુર ખાતે ડી.એલ.એડની યોજાવાની…

Read More

ધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા મનીષાબેન વાલ્મીકી ને શ્રધ્ધાંજલિ અર્પણ

હિન્દ ન્યૂઝ, ધારી ઉતરપ્રદેશ ના હાથરસ મા એક શરમજનક ઘટના અંગે દેશમાં દુઃખ વ્યક્ત કરતા મનીષાબેન વાલ્મીકી ને ધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા શ્રધાનંજલી અર્પણ કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં ૬ તારીખે સફાઈ કામગીરી બંધ રાખી શોક વ્યક્ત કરવામાં આવશે જે બંધમાં જોડાશે. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

વિરમપુર વિસ્તાર માં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું સરકાર સામે રોષ ઠાલવ્યો

હિન્દ ન્યુઝ, વિરમપુર હાલ માં ચોરી નાં બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. ત્યારે અવારનવાર ચોરી ની ઘટના થતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. લોકો નો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યા છે. વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન થીજ પોતાની જીવિકા ચાલાવે છે. જ્યારે આ વિસ્તાર માં ચોરો દિન દહાડે તલવારો, કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો માં ભારે રોષ ભભૂક્યો છે. ગામ લોકો…

Read More

અરવલ્લીમા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા ખાતેથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયાના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથ પ્રસ્થાનના પ્રસંગે માન.જિલ્લા વિકાસ અધિકારી…

Read More

અરવલ્લીના મોડાસા નગરપાલિકાની માજુમપાર્ક સોસાયટી વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના માજુમપાર્ક સોસાયટી વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી…

Read More

COVID-19 અંતર્ગત માહિતી …….

હિન્દ ન્યૂઝ, મોડાસા                    તા. ૦૬/૧૦/૨૦૨૦, નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના…

Read More

છોટાઉદેપુર જિલ્લાનું જેતપુર ગામ થયું સીસીટીવી અને એડ્રેસિંગ સિસ્ટમથી સજ્જ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,                                    જેતપુર ગામના તીનબત્તી વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા લોકાર્પણ- ખાતમુહુર્ત અને કોરોના ટેસ્ટીંગ કેમ્પનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થીતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જેતપુર ગ્રામપંચાયત દ્વારા નાખેલ 53 જેટલા સીસીટીવી કેમેરા અને 100 જેટલા પબ્લીક એડ્રેસિંગ સિસ્ટીમના સ્પીકરોનું લોકાર્પણ કરવામાં આવ્યું    હતું. સાથે ગુજરાત સરકારની માદરે વતન યોજના અંતર્ગત ગામના તીનબત્તી વિસ્તારમાં અમેરિકાના રહેતા એવા સુનિલ નગીનલાલ શાહની લોકભાગીદારીથી સ્વ.નગીનલાલ પુંજાલાલ…

Read More

રાજકોટ શહેર મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોક પાસેના આશિર્વાદ સ્કેવર એપાર્ટમેન્ટમાં ૪ માળે રહેતા હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.રર) નામના લુહાર યુવાને ગઇકાલે સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ લુહાર યુવાન હર્ષ એક ભાઇ એક બહેન પરિવારમાં નાનો હતો. બંને ભાઇ ફર્નિચરનું કામ કરે છે. ગઇકાલે યુવાન કામ પરથી પરત ફર્યા બાદ પોતાના રૂમમાં જઇ આ પગલુ ભરી લીધુ હતું. યુવાને માર્ચ માસમાં જ પટેલ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની જાણ થયા બાદ યુવતીના માતા-પિતા ધુમધામથી લગ્ન કરાવવાનું…

Read More

રાજકોટ શહેર આજીડેમ માંડાડુંગરના ભીમરાવનગરની ખાણ પાસેથી એક મૃત નવજાત બાળક મળી આવેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ નજીક માંડાડુંગરમાં ભીમરાવનગર શેરીનં.૯/૧૦ના ખૂણે રામાપીરના મંદિરની સામે ખાણની પાસે ખુલ્લાપટમાં કોઇ અજાણી મહિલાએ બાળકનો જન્મ છુપાવવા મૃત્યુ પામેલા નવજાત બાળકને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદાપૂર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાસ કરી મૃતક નવજાત બાળક મળી આવતાં અજાણી મહિલા વિરૂઘ્ધ કલમ.૩૧૮ હેઠળ ગુન્હો નોંધાયો હતો. મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આજીડેમ પોલીસ P.S.I એમ.ડી.વાળા હાલ તપાસનો દોર હાથ ધરેલ છે. રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Read More

હાથરસ ના બનેલી ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કાલાવડ                યુ. પી. રાજ્યના હાથરસમાં ગત તા. 14 સપ્ટેમ્બર 2010ના રોજ વાલ્મિકી સમાજની દિકરી મનીષા ઉપર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરી તિક્ષણ હથિયાર વડે હત્યા કરી આરોપી ઓ એ હેવાનિયત ની હદ વટાવીને ગુન્હાઓ કરેલ હોય અને આ આરોપીને સમર્થન કરી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ સાથ સહકાર આપીને ભોગ બનનાર પરિવાર ના સભ્યો ને શારીરિક અને માનસિક ત્રાસ આપેલ હોય અને તેમને ઘરની અંદર કેદ કરી તેમના નિવાસસ્થાને પોલીસ છાવણીમાં ફેરવી ને મીડિયા કર્મીઓને ભોગ બનનાર ના પરિવારના સભ્યોને મળવા ન દેવાનું ગંભીર…

Read More