રાજકોટ શહેર મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોક પાસેના આશિર્વાદ સ્કેવર એપાર્ટમેન્ટમાં ૪ માળે રહેતા હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.રર) નામના લુહાર યુવાને ગઇકાલે સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ લુહાર યુવાન હર્ષ એક ભાઇ એક બહેન પરિવારમાં નાનો હતો. બંને ભાઇ ફર્નિચરનું કામ કરે છે. ગઇકાલે યુવાન કામ પરથી પરત ફર્યા બાદ પોતાના રૂમમાં જઇ આ પગલુ ભરી લીધુ હતું. યુવાને માર્ચ માસમાં જ પટેલ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની જાણ થયા બાદ યુવતીના માતા-પિતા ધુમધામથી લગ્ન કરાવવાનું કહી સમજાવી યુવતીને પરત ઘરે લઇ ગયા હતા. બાદમાં તેને મોકલી ન હોય આ બાબતે યુવાન હતાશ રહેતો હોય અને તેણે હતાશામાં આ પગલુ ભરી લીધુ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા બી.ડીવીઝન પોલીસ મથકના હેડ.કોન્સ્ટેબલ વી.કે.સોલંકી તથા નિશાનભાઇ બનાવ સ્થાને પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment