તા.૨ ઓગષ્ટનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, પાલીતાણા

     સરકાર દ્વારા રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમો અંતર્ગત ઓગષ્ટ માસની ૨જી તારીખે “સંવેદના દિન” ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે પાલીતાણા નગરપાલિકામાં વોર્ડ નં.૧ થી ૯ નો સેવા સેતુ કાર્યક્રમ પાલીતાણા નગરપાલિકા કચેરી, મહર્ષી પરશુરામ માર્ગ, ટાઉનહોલ, પાલીતાણા ખાતે તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી સાંજનાં ૫-૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંધણી, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતાં પ્રમાણપત્રો, સ્કોલરશીપ યોજનાના લાભો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકાશે.

આ સેવા સેતુ કર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઈચ્છતા હોય કે કોઈ યોજનાકીય લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ પાલીતાણા નગરપાલિકા કચેરી, મહર્ષી પરશુરામ માર્ગ, ટાઉનહોલ, પાલીતાણા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ પાલીતાણા નગરપાલિકા કચેરી, મહર્ષી પરશુરામ માર્ગ, ટાઉનહોલ, પાલીતાણા ખાતે નિયત સમયે ઉપસ્થિત રહેવા ચીફ ઓફિસર પાલીતાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment