રાજકોટ શહેર આજીડેમ માંડાડુંગરના ભીમરાવનગરની ખાણ પાસેથી એક મૃત નવજાત બાળક મળી આવેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ નજીક માંડાડુંગરમાં ભીમરાવનગર શેરીનં.૯/૧૦ના ખૂણે રામાપીરના મંદિરની સામે ખાણની પાસે ખુલ્લાપટમાં કોઇ અજાણી મહિલાએ બાળકનો જન્મ છુપાવવા મૃત્યુ પામેલા નવજાત બાળકને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદાપૂર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાસ કરી મૃતક નવજાત બાળક મળી આવતાં અજાણી મહિલા વિરૂઘ્ધ કલમ.૩૧૮ હેઠળ ગુન્હો નોંધાયો હતો. મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આજીડેમ પોલીસ P.S.I એમ.ડી.વાળા હાલ તપાસનો દોર હાથ ધરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment