તા.૩૧ મી ઓક્ટોબરે કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણી

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણીના સુચારૂ આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટર ડી. એ. શાહે ગત સોમવારે સાંજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજીને સંબંધિતોને સોપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે “ટીમ નર્મદા” ને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.…

Read More

છોટાઉદેપુરના ચિત્રકારોને મોબાઇલ ટુ સ્પોર્ટસ્ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાની તક

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,                                ગુજરાત રાજય લલિત કલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટસ્ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ચિત્રકારોએ આગામી તા. ૦૭/૧૧/૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં એ-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર મોબાઇલ ટુ સ્પોર્ટસ્ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે મોકલી આપવાની રહેશે.…

Read More

તા. ૧૬મી, ઓકટોબરના રોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો ઓનલાઇન મેગા જોબફેર યોજાશે

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, તા. ૧૬મી, ઓકટોબરના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે એ માટે ભરતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલ વેકેન્સી અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય એ માટે ઓનલાઇન ભરતી મેળો યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે રોજગારવાંચ્છુ ઉમેદવારો કે જેઓની લાયકાત ધો. ૦૯ થી ૧૨ પાસ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના ઉમેદવારો તેમજ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા એન્જીનિયરિંગ પાસ કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે. ઓનલાઇન મેગા જોબફેરમાં ભાગ લેવા માંગતા રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની વિગતો…

Read More

જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમનનો ફરજીયાત અમલ શરુ કરાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                                  ટ્રાફિક નિયમ ભંગના 400 થી વધુ કેસ સાથે 21 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તા.25-8-20 થી જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી અને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય તે હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર અને નગરમાં ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા વાહનો ઉપર સ્ટીકર લગાવવા અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર…

Read More

પાલનપુર માં મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં આવેલા ચેકપોસ્ટ પર અચાનક ભયાનક અવાજ આવ્યો. જેથી આજુ બાજુ ના લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ચેકપોસ્ટ પર મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જતા પાલનપુર ના કોલેજ કમ્પાઉન્ડ માં રહેતા રાજેશભાઈ નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ અકસ્માત સર્જતા ટ્રેલર ખટારા નો ડ્રાઈવર ટ્રક મૂકી નાશી ગયો હતો. અને પશ્ચિમ પોલીસ પણ ઘટના થી એક કલાક મોડા પોહચતા લોકો એ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ આવી બોડી ને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.…

Read More

દિયોદર તાલુકાના નવાપુરા ગામની ગૌચર જમીનો મોટા પ્રમાણ દબાણો દુર કરવામાં આવતું નથી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા દિયોદર તાલુકાના નવાપુરા ગામની ગૌચર જમીનો મોટા પ્રમાણ દબાણો હોવા છતાં સરકારના નિયમ ઘોળીને પી જતાં સરપંચ અને તલાટીઓ સૂચના છતાં દબાણો દુર કરવામાં આવતી નથી. ગૌચરની જમીનની દબાણ બાબતે અવાર નવાર લેખિત અરજીઓ કરતા છતાં ગૌચરની જમીનો દુર કરવામાં આવતાં નથી અને દિયોદર તાલુકાના નવાપુરા ગામના માથા ભારે લોકો કેટલાં વર્ષોથી ગૌચરની જમીનમાં ખેતી કરી રહ્યા છે. છતાં સરકાર નીંદરમાં હોય તેવું લાગી રહ્યું છે અને ગામનાં સ્થાનિક ના લોકોને રહેવા માટે પ્લોટ કે મકાન નથી મળતાં જ્યારે નવાપુરાની ગ્રુપ પંચાયત પાસે જઇને ગામતળની માંગણી કરીએ…

Read More

રાજ્ય કક્ષાના આયોજીત ઓનલાઈન ઔદ્યોગિક ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર ગીર સોમનાથ દ્વારા કોરોના કોવિડ-19 વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્યકક્ષાનો ઔદ્યોગિક વર્ચુઅલ ભરતી મેળાનું તા.૨૨/૧૦/૨૦૨૦ રોજ આયોજન કરાયુ છે. આ ભરતી મેળામાં ગુજરાતની ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં તા.૨૧/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧ કલાક સુધીમા ધોરણ ૧૦, ૧૨, ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ પાસ તેમજ ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવાર (ભાઈઓ/બહેનો) એ https://forms.gle/NV8vKkmrVZtDRxQU7 લીંક ઉપર અરજી કરવાની રહશે. કંપનીઓના નામ, લાયકાત, પગાર વગેરે લીંક ઉપર દર્શાવવામાં આવેલ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓ જોગ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે ટુંકી મુદત અને મધ્યમનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય, વસુલાત નિયમિત કરતી હોય તેમજ ધિરણ-વસુલાતમાં યોજનામા ઢાંચા મુજબ વધારો થયો હોય, તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને: ૨૦૧૫-૨૦૧૬ થી સને : ૨૦૧૯-૨૦૨૦ સુધીના પાંચ…

Read More

કોડીનારના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્રારા વર્કશોપ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્ય માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં નાબાર્ડ ડીડીએમ કિરણ રાઉત, સોરથ મહિલા વિકાસ સહકારી સમિતિના શ્રીમતી મોતીબેન, કોડીનાર તાલુકા સહકારી બેંકિંગ સંઘ મર્યાદિત રધુભાઇ ચાવડા, બરોડા બેંકના અમોલ ભોસલે અને તાલુકા પંચાયતના કે વી ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમા ૮૦ સ્વ-સહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં આત્મનિર્ભર યોજના, ઇશક્તિ, પંચસૂત્ર વિશેષ માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપનું આયોજન પ્રથામિક શાળામાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ગીર સોમનાથ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૪, કોવિડ-૧૯ની અસરની ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ, નવરાત્રી અને આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે માર્ગદર્શક સુચનાઓ જારી કરવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહમા ૬ ફૂટનું અંતર રાખવુ, ચહેરાને ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગ, સેનેટાઈઝરની સુવિધા, સાધનો સેનેટાઈઝ કરવા, હેન્ડવોશ, થુંકવા પર પ્રતિબંધ, ૬૫ વર્ષની વયના નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ, અન્ય બિમારીથી પિડાતા લોકોએ ભાગ લેવો નહિ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ, કોઈપણ સ્થળે ૫૦ થી વધુ…

Read More