લોકતંત્ર વધુ મજબૂત બનાવવા આખા ભારતમાં રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા આયોજિત નમો નવમતદાતા સંમેલન

હિન્દ ન્યુઝ, ઇડર

      લોકતંત્ર વધુ મજબૂત બનાવવા આખા ભારતમાં રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા દરેક રાજ્ય વિધાનસભામાં આવતા દરેક તાલુકા લેવલે આયોજિત નમો નવમતદાતા સંમેલન ડર તાલુકાનુ યુવા સંમેલન યોજાયું.

 

 

     જેમાં લોકસભા ક્લસ્ટર પ્રભારી બાબુભાઇ જેબલીયા, સાબરકાંઠા લોકસભા પ્રભારી દુષ્યતભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, યુવાના હૃદય સમ્રાટ અને ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ પી.સી.પટેલ, તાલુકા અને શહેર ના પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ અને કેશુભાઈ રબારી, તાલુકા અને શહેરના મહામંત્રી રાજુભાઈ પટેલ, અનોપસિહં બાપુ, કુલદીપસિંહ જાડેજા અને પિયુષભાઇ દવે, તાલુકા મંત્રી દીપકભાઈ પટેલ, ઇડર આર્ટસ & કોમર્સ કોલેજના મંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા યુવા મોરચાનાં ઉપપ્રમુખ તરુણભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચા ભૌતિક સોની, ભાવિક લીમચીયા, કેવલભાઈ પટેલ યુવા મોરચો શહેર અને તાલુકા ના પ્રમુખ કમલભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલ તેમજ તાલુકા અને જિલ્લા સંગઠન અને યુવા મોરચાના સન્માનીય સૌ હોદ્દેદારો, આગેવાનો તથા હજારોની સંખ્યામાં પધારેલ નવમતદાતા યુવા ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતમાં ઇડર આટર્સ & કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો.

ઇડર તાલુકા બ્યુરોચીફ : રીતેશ પટેલ

Related posts

Leave a Comment