શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ તરફથી ચોટીલા પગપાળા દર્શન કરવા જતા યાત્રાળુઓને ઉતારા ની સાથે ચા-પાણી, નાસ્તા ની વ્યવસ્થા

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ,

ટૂંક સમય માં માતાજી ના નોરતા સરું થવાના હોય તે અનુસધાને આજ રોજ શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ -ગીર સોમનાથ થી ચોટીલા સુધી જવા પગપાળા ચાલીને ને દર્શન કરવા જતાં જૂનાગઢ મુકામે મજેવડી દરવાજા પાસે પહોંચતા પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન, સંગઠન મંત્રી જૂનાગઢ યોગેશભાઇ ચાવડા દ્વારા તમામ ૧૨૦ યાત્રીકોનું સ્વાગત કરેલ અને ચોટીલા મંદિર સુધીમાં રસ્તા માં અમારી કોઈપણ મદદ ની જરૂર હોય તો ચોક્કસ જણાવશો. એવી ખાત્રી આપી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરાજસિંહ અને ડૉ. મકવાણા અને વનરાજસિંહ તરફ થી તમામ મિત્રોને મદદ ની ખાત્રી આપવામાં આવી. સાથે તેમની ટીમ દ્વારા યાત્રાળુઓ માટે ચા -પાણી ની સગવડ કરવામાં આવી હતી.

અહેવાલ : યોગેશ ચાવડા, જૂનાગઢ

Related posts

Leave a Comment