પ્રભાસ પાટણ, પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણનો તમામ કચરો પ્રભાસ પાટણ ની હોટેલનો કચરો તથા મચ્છી માર્કેટની પાછળ આ નગરપાલિકા નાં માણસો કચરો નાખે છે. આ નગર પાલિકા ને અવાર નવાર કોરી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગર પાલિકા ના અધિકારીઓએ કોઈ જ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલ તેમ છતાં કોઈ અધિકારી એ પગલાં લીધેલ નથી અને અવાર નવાર પર્યાવરણ વારાઓએ લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં આ નગર…
Read MoreMonth: August 2020
વડોદરા જિલ્લાના ડભોઈમાં નવા 8 કોરોના પોઝીટીવ કેસ આવ્યા
વડોદરા, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ડભોઈ નગરની સાથે સાથે અંતરિયાળ ગામોમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. આજ રોજ ડભોઈ નગરમાં નવા આવેલ 8 પોઝીટીવ કેસોમાથી નગરના કોટ વિસ્તાર બહાર આવેલી ગાયત્રી કોમ્પલેક્ષ સોસાયટીમાંથી 3 કેસ, સ્ટેશન રોડ પરથી 2 કેસ તેમજ મંડાળા ગામે 2 કેસ અને કાયવરોહન ગામેથી 1 કેસ પોઝિટિવ મળી આવેલ છે. કોરોનાનો કુલ આંકડો 192 પર પહોંચ્યો છે અને 165 સંક્રમિત સારવાર હેઠળ છે. રિપોર્ટર : નઈમ હુઈ, વડોદરા
Read Moreદેવગઢ બારીયા નગરમાં એક કોરોના રીપોર્ટ પોઝીટીવ
દેવગઢ, દેવગઢ બારિયા કોરોના પગ પસારો થય ગયો છે, તેવુ કહી શકાય. સતત બીજા દિવસે એક કેસ આવતા બે દિવસ નાં અંદર આઠ કેસ નોંધાયા તેને લઈ ને નગરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવગઢબારિયા વધતા જતા કોરોના કેસ ને લીધે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર : ફૈજાન મફત, દેવગઢ બારિયા
Read Moreગીર સોમનાથમાં પ્રથમ ન્યુરો સર્જન હોસ્પિટલ, જિલ્લામાં ગંભીર અકસ્માતમાં લોકો ને મળી રહેશે સારવાર
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિલકંઠ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જીકલ હોસ્પિટલ ખાતે આજથી અમદાવાદના ખ્યાતનામ ડો.ભૌમીક ચુડાસમા ની ન્યુરોસર્જન તરીકેની સેવા શરુ કરવામા આવી છે. જિલ્લામાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હોવાથી હવે જિલ્લાભરના લોકોને વેરાવળ થી બહારગામ જતા લોકોમાં એક આનંદની લાગણી જોવા મળી છે. નજીવા ખચેઁ અને વેરાવળમા હવેથી દદીંઓને આ સેવાનો લાભ મળશે તેમજ સરકારની યોજના હેઠળ સરકારી કાર્ડ અંતગર્ત પણ સારવાર અહી થઇ શકશે. જે માટે આજરોજ પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જોકે આમ પણ ગીર…
Read Moreભાભર માં ગત રોજ વિજળી પડતા ભેંસ અને ગાય નુ મૃત્યુ થયું
બનાસકાંઠા, ભાભર ચોમાસા ના લાંબા વિરામ બાદ આજે બફારા અને ઉકળાટ વચ્ચે મેઘરાજા એ એન્ટ્રી કરી હતી જેમાં ભાભર માં ગત રોજ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ભાભર તાલુકાના બેડા ગામે એક ભેસ ઉપર વિજળી પડતા મોત ને ભેટી હતી. જ્યારે બાજુમાં આવેલા ભાભર તાલુકા ના તેતરવા ગામે પણ વિજળી પડી હતી જેમાં ગાય નુ મૃત્યુ થયું હતું . આમ ભાભર વિસ્તાર ના બંને ગામોના ખેડૂતો ને બે પશુઓ ના કમકમાટી ભર્યા મોત નીપજ્તા પશુપાલકો માં અરેરાટી વ્યાપી જવા પામી હતી. રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર
Read Moreસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે “પહેલી રાખી દેશ પ્રેમ કી” કાર્યક્રમ યોજાયો
ભાભર, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે “પહેલી રાખી દેશ પ્રેમ કી” કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં થઇ રહ્યા છે. ગુજરાત ના ૧૮,૫૫૪ ગામ માંથી બહેનો અને આગેવાનો દ્ધારા રાખી અને પત્ર જવાનો ને સમર્પિત કરવામાં આવ્યા. તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, બનાસકાંઠા જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી સમગ્ર ટીમ દ્ધારા જીલ્લા માં ૧,૧૦૦ પ્રોગ્રામ સાથે ૧,૫૦૦ રાખી અને પત્ર એકત્રિત કરવામાં આવ્યા હતા.…
Read Moreસમગ્ર દેશ માં મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ ની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો ત્યારે ગોધરા ની પ્રજા ને નગર પાલીકા ના કારણે ખાડાઓ માં મનાવવાનો વારો આવ્યો
ગોધારા, પંચમહાલ જિલ્લા નું મુખ્ય મથક ગોધરા શહેર અનેક વાર ચર્ચાઓ માં જોવા મળ્યું છે ત્યારે ગત રોજ મુસ્લિમ સમુદાય નો પવિત્ર ઈદ નો ત્યોહાર પુરો થઈ ગયો છે ત્યારે ગોધરા શહેર નો મુસ્લિમ વિસ્તાર નગર પાલિકા ની હદમાં ના આવતો હોય તેવો વ્યવહાર કરવા માં આવે છે તેવી લોક ચર્ચાઓ એ ગોધરા માં મોટુ સ્થાન લીધું છે આ ચર્ચાઓ નું સ્થાન મોટું એટલે છે કે ગોધરા શહેર ના મુખ્ય માર્ગો ઉપર ખોદેલા ખાડા ઓ ની વાત હોય કે સ્ટ્રીટ લાઈટ આ સમસ્યા ની અવાર નવાર રજૂઆતો કરવા છતાં નગર…
Read Moreહડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિર નો ઇતિહાસ……..
હડિયાણા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે આવેલ કંકાવટી નદીના કિનારે હડિયાણા નામનું એતીહાસિક વર્ષો પૌરાણિક ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું. હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે. એક સમયે આ ગામ ઔદીચ્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામ માં ઔદીચ્ય બ્રાહણોના આશરે ( 350 )જેટલા ઘરો હતા. અને જ્યારે પણ બ્રાહ્નણ સમાજ ની નાત થતી હતી. ત્યારે આશરે (42) મણ ચૂરમાના લાડવા બનાવવા માં આવતા હતા. હડિયાણા (હરિપુર) ગામના અથમણાં પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી…
Read Moreરાજયસભાના સાંસદ અને ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ દ્વારા સાવચેતીના ભાગરૂપે સોનીબજારમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર મોટાભાગની બજારોમાં ધરાકી ઓછી હોવાથી સોની બજારના રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન દ્વારા તા.૨૬મી થી તા.૩૧ ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે આજે ફરી રાબેતા મુજબ શરુ થઇ છે. અને સરકારની ગાઈડલાઈન મુજબ રાતના ૮ વાગ્યા સુધી બજાર ખુલ્લી રહેશે. આ અંગે રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સોહલીયાએ જણાવ્યું હતું કે સોનીબજાર ખુલતા જ સાવચેતીના ભાગરૂપે સવારે સેનેટાઈઝર છંટકાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજથી ફરી રાબેતા મુજબ સોનીબજાર ફરી ધમધમવા લાગી છે. અને વેપારીઓએ શો-રૂમ ખોલ્યા હતા. ત્યારે રાજય સભાના સાંસદ અને ધારાશાસ્ત્રી…
Read Moreરાજકોટ શહેર જામનગર રોડ પર શેઠનગર પાછળ આવેલી પાણીની ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા રજપૂત યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું
રાજકોટ, રાજકોટ શહેર જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા ઈન્દ્રજીતસિંહ દોલુભા કામળીયા (ઉ.૩૫) નામનો હાટી દરબાર યુવાન આજે સવારે તેના ૨ મિત્રો સાથે અસહ્ય બફારાથી રાહત મેળવવા શેઠનગર પાછળ F.C.I ગોડાઉન પાસે પાણીની ખાણમાં ન્હાવા ગયો હતો. જયા ત્રણેય મિત્રો પાણીમાં ન્હાવા પડેલા દરમિયાન ઈન્દ્રજીતસિંહ ઉંંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવની જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. અને તરવૈયા ઓએ મૃતદેહને બહાર કાઢયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના બલતીદ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને P.M…
Read More