રાજકોટ,
રાજકોટ શહેર જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા ઈન્દ્રજીતસિંહ દોલુભા કામળીયા (ઉ.૩૫) નામનો હાટી દરબાર યુવાન આજે સવારે તેના ૨ મિત્રો સાથે અસહ્ય બફારાથી રાહત મેળવવા શેઠનગર પાછળ F.C.I ગોડાઉન પાસે પાણીની ખાણમાં ન્હાવા ગયો હતો. જયા ત્રણેય મિત્રો પાણીમાં ન્હાવા પડેલા દરમિયાન ઈન્દ્રજીતસિંહ ઉંંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવની જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. અને તરવૈયા ઓએ મૃતદેહને બહાર કાઢયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના બલતીદ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને P.M અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ઈન્દ્રજીતસિંહ ૨ ભાઈ ૧ બહેનમાં નાનો અને અપરિણીત હતો. તથા ઈલેકટ્રીકનું કામ કરતો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ