કચ્છ, બીડદા થી મોટા આસબીયા રોડ ઉપર બને સાઈડ રસ્તો ગણા ટાઈમ થી તૂટી ગયો છે પરંતુ વહીવટ તંત્ર ને જાણ નથી કે આંખ આડા કાન કરે છે અને આ રસ્તા ઉપર કોઈ મોટી જાન હાનિ કે માલ હાનિ થશે ત્યારે વહીવટ તંત્ર જાગશે અને આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ ચૂપ ,આ વિસ્તારના નેતાઓ ચૂંટાયા પછી આ લોકો ક્યાંય નથી દેખાતા તો આ બાબતે વહીવટ તંત્ર ગોર નિંદ્રા માંથી જાગે અને આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરાવે કારણે આ રસ્તા ઉપર ગમે ત્યારે નાના કે મોટા વાહનો ને કે વાહન ચાલકોને…
Read MoreMonth: August 2020
રાજકોટ શહેરમાં વિદેશી દારૂના ૪ દરોડા ૧૦૦ બોટલ ઝડપી પાડતી રાજકોટ શહેર પોલીસ
રાજકોટ, તા.૧૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં વિદેશીદારૂ ભરેલી રિક્ષા પસાર થવાની હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે વિદેશીદારૂની ૬૬ બોટલ ભરેલી રીક્ષા સાથે આનંદ રવજી મુછડીયાને ઝડપી લીધો હતો. ભકિતનગર પોલીસે હરીધવા રોડ ઉપર વિદેશીદારૂની ૬ બોટલ લઇને નિકળેલા બાઇક ચાલક વિશાલ વાલજી કુમારખાણીયાની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે બાતમીના આધારે લોઠડા ગામેથી પ્રતિપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને રૂા.૭૫૦૦ ની કિંમતની ૧૫ બોટલ દારૂ સાથે ઉઠાવી લીધો હતો. જ્યારે ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે બાઇકમાં વિદેશીદારૂની હેરાફેરી કરતાં સંદિપ કિશોર રામાવત અને ધાર્મિક દીપક ચૌહાણની ધરપકડ કરી વિદેશીદારૂ અને…
Read Moreજોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન……
જોડિયા, જોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન અઢી કલાક માં પાંચ ઈંચ જેટલો વરસાદ મુશળધાર પડયો છે. અને ખેતરોમાં પણ પાણી પાણી જોવા મળે છે. લાંબા અંતર બાદ વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ થઈ ગયા છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreસમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા
અંબાજી, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે એ મુજબ જિલ્લાના નાગરિકો ને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા જરૂરી તકેદારી રાખવા તેમજ સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમના જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી કરી છે. (૦૨૭૪૨)૨૫૦૬૨૭ ગત રોજ ખાતે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. વહેલી સવારે ૬ વાગ્યા થી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધી એક ધારો વરસાદ પડ્યો હતો. અંબાજી મંદિરમાં આવેલી દુકાનો માં પાણી ભરાયા હતા તેમજ બજારના નીચાણવાળા વિસ્તારમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારના રસ્તા પર પણ પાણી ભરાયા હતા…
Read Moreગઢડા તાલુકાના ઢસા જં મા આવેલ બંસીધર જિનિંગ મિલ મા આજે કોંગ્રેસ પક્ષ ની મિટિંગ યોજવામાં આવી
ગઢડા, ઢસા જં મા આવેલ કોંગ્રેસ ની પબ્લિક ભાવનગર બોટાદ વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી, અમિતભાઇ ચાવડા ગુજરાત અધ્યક્ષ હાર્દિક ભાઈ પટેલ તેમજ લાઠી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમ્મર તેમજ આજુબાજુ ના કોંગ્રેસ કાર્યકર્તા હાજરી આપી હતી જેમાં દરેક આજુબાજુ ના ગ્રામ્યજનો એ હાજર રહ્યા હતા. જેનું આયોજન ઢસા જં રેલવે સ્ટેશન રોડ ગોપાલ જિન ની સામે આવેલ બંસીધર મિલ મા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા મુદ્દા પેલો ઠરાવ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી અને પાક વીમો 2016 થી 2020 સુધીનો વીમો ચૂકવવા ઠરાવ…
Read Moreવિચરતી વિમુક્તિ જાતિના લોકોને 100 કીલો મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું
ભાભર, માનવતા ગ્રુપ ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામ કરે છે. જેમાં જરૂરિયાત મંદ પરિવારોને શિયાળો, ઉનાળો કે ચોમાસામાં લોકોને ધાબળા, સ્વેટર, ચંપલ, પાણીની પરબ, દિવ્યાંગ લોકો ટ્રાય સાયકલ અને કોરોના મહામારી માં ભોજન રાસન કીટ અને લોકોમાં લોક જાગૃતિ ના અનેક કાર્યો કરવા માં આવે છે. જેમાં આવા કાર્યો ને જોઈને સમસ્ત ચૌધરી પરિવાર ભાભર તાલુકાના સણવા ગામ દ્વારા 100 કિલો મીઠાઈ આપવામાં આવી હતી. જેમાં માનવતા ગ્રુપ ભાભર ના સહયોગ થી રૂની, ઊચોસન, જોરાવરગઢ ગામો માં રહેતા વિચરતી વિમુક્તિ જાતિના લોકોને તેમજ રેલવે સ્ટેશન ની આજુ…
Read Moreભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી
ભરૂચ, ભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી લાગી. ભરૂચની ખેતીવાડી ઉતપન્ન બઝાર સમિતિ મહમદ પુરા (APMC) ની માર્કેટની દુકાનોમાં આજે સાંજના સમયે એકાએક સોટસરકીટ ના કારણે આગ લાગતાં આ વિસ્તારમાં દસ વધુ દુકાનો આગ ની જપટ માં રાખ થઈ જવા પામી હતી અને આજુ બાજુ વિસ્તાર માં પણ દોડધામ મચી જવા પામી હતી. આ આગનાં ધુમાડા ગોટા દુરદુર સુધી દેખાતા હતા. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાં સ્થળે આવી પોહચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. રિપોર્ટર :…
Read Moreદિયોદર શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે ભક્તો ની ભીડ ઉમટી પડી
દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે જિલ્લા માં દરેક મહાદેવ મંદિરો માં ભક્તો એ સોસીયલ ડિસ્ટન સાથે હર હર મહાદેવ ના નારા લગાવ્યા હતા અને મહાદેવજી ની પૂજા અર્ચના કરી હતી ત્યારે જિલ્લા ના દિયોદર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર માં પણ ભક્તો ની ભીડ જોવા મળી આવી હતી. આજે શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર ના દિવસે વહેલી સવારે ભક્તો માં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો જેમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે છેલ્લા સોમવાર ના રોજ ભક્તો એ સોસીયલ ડિસ્ટન રાખી મહાદેવજી ની પૂજા…
Read Moreભારે વરસાદ ની આગાહી ના પગલે દિયોદર પથક માં વરસાદ
દિયોદર, રાજ્ય માં બનાસકાંઠા જિલ્લા માં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે. જેના પગલે જિલ્લા ના દિયોદર પથક માં વરસાદ ની હેલી જોવા મળી આવી હતી. બે દિવસ ના વિરામ બાદ ફરી રવિવાર ના રોજ બપોર ના સમય વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ નું આગમન થયું હતું. જેમાં દિયોદર પથક માં મેઘો મન મૂકી ને વરસ્યો હતો જેમાં કોઈ પણ આપત્તિ સમય દિયોદર વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ ને જરૂરિયાત પ્રમાણે યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી રવિવાર ના દિવસે વરસાદ ના કારણે નીચાણવાળા…
Read Moreદિયોદર ના ચમનપુરા દૂધ મંડળી ના તાળા તૂટ્યા 45 હજાર ની ચોરી કરી તસ્કરો ફરાર
દિયોદર, દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે સ્વતંત્રતા દિવસ ની રાત્રી ના સમય અજાણીયા ઈસમો એ દૂધ મંડળી ના તાળા તોડી 45 હજાર રૂપિયા રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચમનપુરા ગામે આવેલ દૂધ મંડળી માં સ્વતંત્ર દિવસની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ દૂધ મંડળી નું તાળુ તોડી અંદર પ્રવેશ કરી દૂધ મંડળીમાં ટેબલમાં પડેલ ૪૪ હજાર રૂપિયા રોકડા તેમજ એક પંખો કુલ કિંમત ૪૫ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા દિયોદર…
Read More