દિયોદર શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે ભક્તો ની ભીડ ઉમટી પડી

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા માં શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે જિલ્લા માં દરેક મહાદેવ મંદિરો માં ભક્તો એ સોસીયલ ડિસ્ટન સાથે હર હર મહાદેવ ના નારા લગાવ્યા હતા અને મહાદેવજી ની પૂજા અર્ચના કરી હતી ત્યારે જિલ્લા ના દિયોદર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર માં પણ ભક્તો ની ભીડ જોવા મળી આવી હતી. આજે શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર ના દિવસે વહેલી સવારે ભક્તો માં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો જેમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે છેલ્લા સોમવાર ના રોજ ભક્તો એ સોસીયલ ડિસ્ટન રાખી મહાદેવજી ની પૂજા અર્ચના કરી હતી. મહાદેવ મંદિર ખાતે વહેલી સવાર થી હર હર મહાદેવ ના નારા થી મંદિર નો પરિચર ગુંજી ઉઠ્યો હતો.

બીલીપત્ર અને જળ ચડાવી ભક્તો એ મહાદેવજી ના આશીર્વાદ લીધા હતા અનેરો ઉત્સાહ સાથે આજે છેલ્લા સોમવાર ના રોજ ભક્તો માં આનંદ જોવા મળી આવ્યો, જેમાં નીલકંઠ મહાદેવ મંદિર ની સાથે સાથે અન્ય શિવાલયો માં ભક્તો એ દર્શન કરવા ઉમટી પડ્યા હતા જેમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે હવન નું પણ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ભક્તો એ શ્રદ્ધા સાથે હર હર મહાદેવ ના નારા લગાવ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment