રાજકોટ, રાજકોટ જીલ્લાના ૮ તાલુકાના ૩૧ વિસ્તારોને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની દરખાસ્ત રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને રાજ્ય સરકારમાં મોકલી છે. દરખાસ્ત મોકલવાની સાથો આવા વિસ્તારોમાં ક્ધટેઈનમેન્ટ ઝોનને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, રાજકોટ અને પડધરી તાલુકાના ૩૧ વિસ્તારો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ખાતે મેલડી માતા મંદિર વાળી શેરી બોરડી સમઢીયાળીમાં હનુમાનજી મંદિર વાળી શેરી ક્ધટેનમેન્ટ ઝોનમાં સમાવાયા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read MoreMonth: July 2020
રાજકોટ શહેર પોલીસ માટે વધુ એક શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ
રાજકોટ, રાજકોટ ખાતે તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતા અંકિત બકુલભાઈ શાહ નામના વણિક યુવકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૮ જૂનના રોજ ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી ૨૮ બોટલ દારૂ સાથે મારા મોટાભાઈ નમનની કાર કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. P.S.I જેબલિયાને P.I વાળા સાથે વાંધો છે. અને જેબલીયા તને મળવા માંગે છે મેં ના પાડતા પરાણે બાઇકમાં અપહરણ કરી લઇ ગયા હતા અને નાણાવટી ચોકમાં આઈ-20 કારમાં બેસાડી જેબલીયા સાથે વાત કરાવી હતી. તેઓએ દારૂના કેસમાં સેટિંગ કરવું છે.…
Read Moreખેડબ્રહ્મા માં આમ આદમી પાર્ટી ની ઓફીસ ખુલ્લી મુકવામાં આવી…..
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા ખાતે તાલુકા કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું સાથે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ કરશનભાઇ પટેલ, મહામંત્રી ફારૂકભાઈ, તાલુકા પ્રમુખ શિરીશભાઈ, શહેર પ્રમુખ નિકુંજભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા… રિપોર્ટર: ઋત્વિક પટે, ખેડબ્રહ્મા
Read Moreખેડબ્રહ્મામાં હરણાવ નદી ના પટ ઉપર એક નવજાત શિશુ નું ભ્રૂણ મળી આવ્યું…
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા ના હરણાવ નદીના પટમાં ભ્રૂણ દેખાતા ત્યાનાં રહેવાસી મહેશ ભાઈ નામક વ્યક્તિએ જીવદયા પ્રેમી ભૂપેન્દ્ર સિંહ મોગાવત ને ફોન કરી જાણ કરી, જીવદયા પ્રેમી ત્યાં જઈ ને તપાસ કરતા નવજાત શિશુ નું ભ્રૂણ હોવા નું જાણવા મળતા તાત્કાલીક તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરી . છેલ્લા દસ વર્ષથી ભૂપેન્દ્ર સિંહ મોગવત અને તેમની ટીમ દ્વારા ખેડબ્રહ્મામાં સાથ આપી રહ્યા છે. રિપોર્ટર : ઋત્વિક પટે, ખેડબ્રહ્મા
Read Moreજામનગર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાન માં રાખી લેવાયેલ અગત્ય નિર્ણય…..
જામનગર, જામનગરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઇને જામનગર વેપારી મહામંડળ નો નિર્ણય…. જામનગર શહેરમાં ચા-પાન ના વેપારીઓ દ્વારા એક સપ્તાહ દરમિયાન સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રખાશે…… સોમવાર તા.૧૩.૭.૨૦૨૦ થી રવિવાર એક સપ્તાહ દરરમિયાન સવારે ૮.૦૦ થી ૬.૦૦ સુધી જ દુકાનો ખુલી રહેશે….. રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર
Read Moreમકતુપુર નિવાસી દોલુભા ભાઈજીભી ચુડાસમાનુ ગત રોજ અવસાન
અવસાન નોંધ, માંગરોળ તાલુકાનું ગામ મકતુપુર નિવાસી દોલુભા ભાઈજીભી ચુડાસમાનુ ગત તા.11-07-2020, શનિવાર રાત્રીના સાડાઆઠ કલાકે અવસાન થયેલ છે. સદગતના આત્માને ચુડાસમા પરિવાર તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફથી તેમને ચિર શાંતિ અને સદગતી આપે એજ પ્રભુ ચરણ માં પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ …….. લિ. શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર સ્નેહિજન દિલીપસિંહ (પુત્ર) ઈન્દ્જીતસિંહ (પુત્ર) રવિ ભુવા (પૌત્ર) તેમજ સદગત સ્વ.પથુભા, સ્વ.માધવસિંહજી તથા પ્રતાપસિંહજી, બાલુભા, લધુભા,મહેંન્દ્સિંહ, જસુભા (તમામ ના ભાઈ) તેમજ મહાવીરસિંહ (ભત્રીજા)
Read Moreગઢડા તાલુકાના ઢસા જં માં આજરોજ હોમિયોપેથીક દવા નું વિનામૂલ્યે વિતરણ
ઢસા, ગઢડા ઢસા જં માં આવેલ રામજી મંદિર પાસે આવેલ ધર્મ શાળા શોપિંગ માં આવેલ હરિકૃષ્ણ ક્લિનિક દવાખાનામાં કોવીડ 19 અંતર્ગત કોરોનવાઈરસ, સ્વાઇનફલુ જેવી બીમારી ઓ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ, તાકત વધારવા તેમજ તેની સામે રક્ષણ આપી રહે તે માટે હોમિયોપેથીક દવા નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કામગીરી હરિકૃષ્ણ ક્લિનિક ના ડો. મહીપત ભાઈ ખેર તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા, હરેનભાઈ મથુરિયા, તુષાર ભાઈ કટારીયા તેમજ નવયુવાનો ની ટીમ આ કામગીરી માં જોડાયેલ હતા. ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામજનો એ દવાનો લાભ લીધો…
Read Moreરાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રની પાટનગર ગણાતી રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’ માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે. ચોમાસાના ઋતુજન્ય રોગચાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ દર્દીઓ, કેશબારીમાં કેસ કઢાવવા લાઇનો લાગતી હતી. દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવતુ હતું. પરંતુ હાલ કોરોના વાઇસનુ સંક્રમણ થશે તેવા ડરથી માત્ર ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓ જ ઓપીડીમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી બહારગામ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓએ સિવિલમાં આવવાનુ ટાળ્યુ છે. પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્રમાં મેળવવાનું શરૂ કર્યુ છે. સૌરાષ્ટ્રમાં વઘતા જતા કોરોનાના કેસો…
Read Moreજામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા દ્વારા અનાજ કીટ નું તેમજ હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાયું
જામનગર, જામનગર ખાતે જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા અલતાફભાઈ ખફી દ્વારા સ્વખર્ચે લોક ડાઉન માં પણ અનાજ કીટ નું તેમજ હોમિયો પેથિક દવા નું નિ:શુલ્ક વિતરણ કરેલ તેમજ હાલ માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાવવા થી ગરીબો ના ઘર પાણી માં ડૂબી જવાથી અનાજ તેમજ ઘર વખરી નો નાશ થયેલ હતો. તેની જાણ જામનગર ના ભામશા એવા અલ્તાફભાઈ ખફી થતાં તેઓ દ્વારા અનાજ કીટ નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આ વેળાએ કોર્પોરેટર જેનમબેન ખફી, સહારાબેન મકવાણા, કાદરબાપુ જૂનેજા, અલતાફભાઈ ખીરા, મહમદ અબરાર ગજિયા, સાજિદ બ્લોચ વગેરે…
Read Moreરાજકોટ શહેર દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીએ ફીલીંગ મશીન બનાવ્યું છે
રાજકોટ, રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, વિવેક.એમ.પીઠડીયા. કે જેમને તેમના માર્ગદર્શક પ્રોફેસર હાર્દિક.એચ.કવા ના માર્ગદર્શન હેઠળ, “વર્કિંગ મોડેલ ઓફ ઓટોમેટિક બોટલ ફીલીંગ મશીન” બનાવ્યું છે. આ મશીનમાં બોટલ ભરાય છે, બોટલમાં તેનુ ઢાંકણુ ઢંકાઈ ટાઇટ થાય છે, અને બોટલઓ સ્ટોરેજ પણ થાય છે. તેમા દર ૬.૫ સેકન્ડમા એક બોટલ તૈયાર થઈને બહાર નીકળતી જણાય છે. આ મશીનમાં ૨૦૦ML થી ૪૫૦ML સુધીની બોટલ ભરવા ની ક્ષમતા છે. આ મશીન મા P.L.C, H.M.I, સેન્સર, સ્ટેપર મોટર અને ન્યુમેટીક સિસ્ટમનો ઉપયોગ કરેલ છે. તેમા…
Read More