ઢસા, ગઢડા
ઢસા જં માં આવેલ રામજી મંદિર પાસે આવેલ ધર્મ શાળા શોપિંગ માં આવેલ હરિકૃષ્ણ ક્લિનિક દવાખાનામાં કોવીડ 19 અંતર્ગત કોરોનવાઈરસ, સ્વાઇનફલુ જેવી બીમારી ઓ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ, તાકત વધારવા તેમજ તેની સામે રક્ષણ આપી રહે તે માટે હોમિયોપેથીક દવા નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કામગીરી હરિકૃષ્ણ ક્લિનિક ના ડો. મહીપત ભાઈ ખેર તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા, હરેનભાઈ મથુરિયા, તુષાર ભાઈ કટારીયા તેમજ નવયુવાનો ની ટીમ આ કામગીરી માં જોડાયેલ હતા. ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામજનો એ દવાનો લાભ લીધો હતો. આવેલ તમામ લોકોએ મહીપત ભાઈ તેમજ તમામ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો અને આવવા વાળા નગરજનોને આ મહામારી કોરોના થી બચવા બધાને સલાહ સૂચન આપ્યા હતા.
રિપોર્ટર : આસિફ રવાણી, ઢસા