ગઢડા તાલુકાના ઢસા જં માં આજરોજ હોમિયોપેથીક દવા નું વિનામૂલ્યે વિતરણ

ઢસા, ગઢડા

 

ઢસા જં માં આવેલ રામજી મંદિર પાસે આવેલ ધર્મ શાળા શોપિંગ માં આવેલ હરિકૃષ્ણ ક્લિનિક દવાખાનામાં કોવીડ 19 અંતર્ગત કોરોનવાઈરસ, સ્વાઇનફલુ જેવી બીમારી ઓ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ, તાકત વધારવા તેમજ તેની સામે રક્ષણ આપી રહે તે માટે હોમિયોપેથીક દવા નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કામગીરી હરિકૃષ્ણ ક્લિનિક ના ડો. મહીપત ભાઈ ખેર તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા, હરેનભાઈ મથુરિયા, તુષાર ભાઈ કટારીયા તેમજ નવયુવાનો ની ટીમ આ કામગીરી માં જોડાયેલ હતા. ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામજનો એ દવાનો લાભ લીધો હતો. આવેલ તમામ લોકોએ મહીપત ભાઈ તેમજ તમામ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો અને આવવા વાળા નગરજનોને આ મહામારી કોરોના થી બચવા બધાને સલાહ સૂચન આપ્યા હતા.

 

રિપોર્ટર : આસિફ રવાણી,  ઢસા

Related posts

Leave a Comment