જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા દ્વારા અનાજ કીટ નું તેમજ હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

જામનગર,

જામનગર ખાતે જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા અલતાફભાઈ ખફી દ્વારા સ્વખર્ચે લોક ડાઉન માં પણ અનાજ કીટ નું તેમજ હોમિયો પેથિક દવા નું નિ:શુલ્ક વિતરણ કરેલ તેમજ હાલ માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાવવા થી ગરીબો ના ઘર પાણી માં ડૂબી જવાથી અનાજ તેમજ ઘર વખરી નો નાશ થયેલ હતો. તેની જાણ જામનગર ના ભામશા એવા અલ્તાફભાઈ ખફી થતાં તેઓ દ્વારા અનાજ કીટ નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું.

આ વેળાએ કોર્પોરેટર જેનમબેન ખફી, સહારાબેન મકવાણા, કાદરબાપુ જૂનેજા, અલતાફભાઈ ખીરા, મહમદ અબરાર ગજિયા, સાજિદ બ્લોચ વગેરે ઉપસ્થિત રહી ભારે જેહમત ઉઠાવી હતી. જામનગર ના  ભામશા અલતાફભાઈ ખફી જ્યારે જ્યારે કોઈ પણ આપદા આવે ત્યારે ત્યારે તેઓ કોઈ પણ ધર્મ સંપ્રદાય ના ભેદભાવ રાખ્યા વગર હરહંમેશ સહાય માટે તત્પર રહેતા હોવાથી ગ્રામજનો એ આભાર વ્યક્ત કરેલ હતું.

રિપોર્ટર: વિશ્વનાથ જોષી, જામનગર

Related posts

Leave a Comment