રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વોર્ડનં.15 નવા થોરાળા મેઈન રોડ ઉપર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપવામાં આવેલ હતું. હાલ રાજકોટ ની અંદર ‘બોલબાલા ટ્રસ્ટ’ બહુ મોટું નામ ધરાવે છે. સમગ્ર રાજકોટ અંદર ભૂખથી પીડાતા લોકોને તેમના સુધી ભજન પહોંચાડવાનુ ઉમદાકાર્ય કરવામાં આવે છે. નવા થોરાળા મેઈન રોડ ત્યાંના સ્થાનિક આગેવાનો સેવાકીય કાર્યમાં ભાગ લીધો હતો. શેરીએ-શેરીએ જરૂરિયાતમંદ લોકોને ભજન પહોંચાડાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read MoreMonth: May 2020
રાજકોટ શહેરમાં અનેક લોકો ગેરકાયદેસર ધુસી ગયા-કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે ચેક પોસ્ટ ઊભી કરી છે. તે માત્ર નામની છે. તેમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું. વોર્ડનં.15 ગંજીવાળા મહાકાળી વાળો મેઇન રોડ શેરીનં.2 પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ઉપર અજાણ્યા ચાર થી પાંચ લોકો રાત્રે આવ્યા હોવાની માહિતી મળતા, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને પ્રવીણભાઈ સુરાણી ને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી થોરાળા પોલીસ સ્ટેશન ને ફોન કર્યો બાદ કોર્પોરેટર રૂબરૂ પોલીસને લઇ સ્થળ પર ગયા હતા. ત્યારબાદ ત્યાં કનુભાઈ શીવાભાઈ તથા તેમના પરિવારજનો હાજર…
Read Moreરાજકોટ શહેરમાં બંધ પડેલા ઓવરબ્રિજોના બાંધકામ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે…..
રાજકોટ, તા. ૯/૫/૨૦૨૦જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઈ ને અને લોકડાઉન ના કારણે રાજ્ય સરકાર દ્વારા કારખાનાઓ, દુકાનો તેમજ તમામ પ્રકારના બાંધકામો બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટમાં 10 જેટલા ઓવરબ્રિજ મંજૂર થયા છે. અને લોકડાઉન ના કારણે વાહનોની અવરજવર ઓછી હોવાથી બ્રિજોનું કામકાજ સહેલાઇથી થઈ શકે તે માટે ટૂંક સમયમાં જ બ્રિજોનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજના કામને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જ્યારે જામટાવરથી હોસ્પિટલ ચોક સુધી રસ્તો બંધ કરવામાં આવશે. જ્યારે જામનગર જતા વાહનો કુવાડવા રોડ તરફથી જામનગર જશે.…
Read Moreરાજકોટ જિલ્લામાં ખાસ કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે..
રાજકોટ, તા. ૯/૫/૨૦૨૦ જ્યારે રાજકોટ જિલ્લામાં ખાસ કોરોના વાયરસ ન ફેલાય તે માટે રાજકોટમાં કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે. અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચોની નિમણૂક કરવામાં આવશે. .જ્યારે બહારના જિલ્લાઓમાંથી આવતા લોકો કોરોના વાયરસ ન ફેલાવે તે માટે દરેક ગામોમાં 25 જેટલા વોલેન્ટયર યુવાનોને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે તે યુવાનો ગામના મુખ્ય રસ્તાઓ એટલે કે જ્યાં ગામમાં પ્રવેશ લઇ શકાય ત્યાં હાજર રહેશે. જ્યારે ગામમાં કોની એન્ટ્રી થાય છે તે તમામ બાબત અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે તેમનું મુખ્ય કામ એ છે કે ગામનાં 25 ઘર…
Read Moreરાજકોટ- મોરબીમાં ફાકી, બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો…..
રાજકોટ, તા. ૯/૫/૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકડાઉન પણ ત્રીજા તબકામા ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાત સરકારે ફાકી, બીડી તેમજ તમાકુ જેવી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પાન, ફાકી, બીડી, અને તમાકુના બંધાણીઓની હાલત કફોડી બની છે. જ્યારે મોરબીમાં પન્સા રોડ પર રહેતા ૩૬ વર્ષીય યુવાનને ફાકી, બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને તે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં તેમને સારવાર કરવામાં આવી રહી છે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreશહેરા નગરપાલિકા એ જાહેરનામાનો ભંગ કરવા બદલ ૧૭ દુકાનદારો, વેપારીઓ પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ કર્યો
શહેરા, શહેરા નગરપાલિકા દ્વારા તારીખ 7-5-2020 ના રોજ લોકડાઉન અને જાહેરનામાનો અમલ કરાવવા માઇક એનાઉન્સ અને મીડિયા દ્વારા અને જાહેર પત્રિકા દ્વારા જાહેર અપીલ કરી હતી અને વેપારીઓ તથા ગ્રાહકોને અવગત કરવામાં આવેલ હતા. જે સંદર્ભે શહેરા નગરપાલિકા દ્વારા તારીખ 8- 5-2020 સવારે 7.00 કલાકથી 12.00 કલાક સુધીમાં નગરપાલિકાના બજાર વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ મામલતદાર,પોલીસ ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર સાથે મળી બજારની મુલાકાત લીધેલી હતી. જેમા લોકડાઉન નો અને મેં.કલેકટર પંચમહાલ ગોધરાના તારીખ 4-5- 2020 ના જાહેરનામાના ભંગ કરવા બદલ નીચે મુજબના ૧૭ દુકાનદારો, વેપારીઓ પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ…
Read Moreદાહોદમાં આજે કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪
દાહોદ, દાહોદમાં આજે કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪ થઇ છે. કલેક્ટર વિજય ખરાડીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮ કેસ નોંધાયા છે. જે પૈકી ૪ દર્દી કોરોના વાયરસને માત આપી સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા કેસમાં મુંબઇ આવેલા ડ્રાઇવરને કોરોના થયો છે. તે જે પ્રવાસીને દાહોદ લઇ આવ્યા એમને કોરોના લાગુ પડ્યા બાદ ડ્રાઇવરને સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યાે હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવેલ છે. રીપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ
Read Moreગઢડા તાલુકાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખાસ સુચના આપવામાં આવી આવી
ગઢડા, ગઢડા તાલુકાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કટારીયા, યુસુફભાઈ આકબાણી, શાંતિભાઈ મેર, કમલેશભાઈ ગઢવી તેમજ મંત્રી હરદિપભાઈ એન.પરમાર તેમજ ઢસા વિશી ગ્રામ પંચાયત તથા સભ્યોએ નીચે મુજબ અપીલ કરેલ છે, કે કોરોના મહામારીથી બચવુ એક જ ઉપાય છે, લોકડાઉન નું પાલન કરવું તેમજ સોસિયલ ડિસ્ટન્સનુ પાલન કરવુ. ઘરે બનાવેલ માસ્ક અવશ્ય પહેરવું , રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા આરોગય મંતરાલયની સુચનાનુ પાલન કરવુ. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને બીજાને પણ ડાઉનલોડ કરાવો. ડોક્ટર , નર્સ , સફાઈ કર્મચારી , પોલીસ જેવા કોરોના યોધ્ધાઓનું સન્માન કરવું. ઘરમાં વડીલો, વૃધ્ધ …
Read Moreરાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદરથી એમપી અને ઝારખંડની ટ્રેનો રવાના. પરપ્રાંતીય મજુરોએ લીધો રાહતનો સુવાસ
રાજકોટ, રાજકોટ શહેર તા. ૯.૫.૨૦૨૦ ના રોજ પોરબંદરથી આજે સવારે 6 કલાકે 12૦૦ શ્રમિકોને ટ્રેન મારફતે મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. જયારે રાજકોટમાં પણ અંદાજે 12૦૦ જેટલા શ્રમિકો માટે મધ્યપ્રદેશના રતલામ સુધીની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને અધિકારીઓની હાજરીમાં આજે સવારે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. સાથે મોરબીમાંથી પણ વહેલી સવારે ઝારખંડ સુધીની ટ્રેન દોડાવવામાં આવી છે. જો કે હજુ પણ ટ્રેન મારફતે શ્રમિકોને વતન મોકલવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે રાજકોટથી બપોરે 12 વાગ્યે ઉતરપ્રદેશના બલિયા સુધીની ટ્રેન રવાના થવાની છે. જ્યારે મોરબીથી પણ વધુ એક…
Read Moreરાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘કોરોના વોરિયર્સ’ માટે કરી મહત્વની જાહેરાત
રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજ્યમાં સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે જયંતી રવિએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત કરતા કહ્યું છે કે વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા 25.૦૦૦ નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ ના કર્મચારીઓને રૂપિયા 15.૦૦૦ નું માનદ પ્રોત્સાહક મહેનતાણું આપવામાં આવશે. વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂપિયા 10.૦૦૦ નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિગ અને ફિક્સ પગારમાં સેવા આપતાં કર્મચારીઓને રૂપિયા 5.૦૦૦…
Read More