રાજકોટ, ૧૬/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન ની પણ સમય મર્યાદા વધારવામાં આવી છે. ત્યારે જગતનો તાત હેરાન પરેશાન છે. અને ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હોવા છતાં ખેડૂતો પોતાનો માલ વેચી શકતા નથી. જ્યારે આજ થી રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લાના જુદા- જુદા માર્કેટ યાર્ડમાં આજથી online રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે યાર્ડ દ્વારા જુદા જુદા નંબર જાહેર કરવામાં આવ્યા છે. આજે સવારથી જ ખેડૂતો પોતાનો માલ વેચવા માટેના રજીસ્ટ્રેશન યાર્ડમાં કરાવવા માટે ધનધણાટી ફોન આવવાનું…
Read MoreDay: April 16, 2020
લોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ
દાહોદ, દાહોદ જિલ્લા ના પીપલોદ ગ્રામ પંચાયત તથા પોલીસ તંત્રના સહયોગથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. લોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ સંપૂર્ણ વિશ્વ માં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યું છે એને લોકડાઉન નો સંપૂર્ણ રૂપે અમલ થાય એ માટે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા તથા પોલીસ તંત્ર ના સહયોગ થી પીપલોદ ગામ માં પ્રવેશ કરવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. જેનાથી બાર થી કોઈપણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરી શકે ને બિન જરૂરત લોકો ગામમાં લટાર મારવા નહીં આવી…
Read Moreજામનગર માટે આગામી 100 કલાક ખુબજ મહત્વના છે……
જામનગર, જામનગર માટે આગામી 100 કલાક ખુબજ મહત્વના છે. જો આ 100 કલાકમાં કોરોના પોઝિટીવનો કેસ નહી આવે તો 21 એપ્રિલથી જામનગર શહેર સહિત જિલ્લામાં લોકડાઉનમાં રાહતભરી છૂટછાટ મળવાની પુરેપુરી સંભાવનાઓ જોવાઇ રહી છે. 20 એપ્રિલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકડાઉનમાં છૂટછાટ આપવા જઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જ્યારે રાજ્ય સરકાર આજે જાહેર કરશે. આ માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કિ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી રેડઝોનની યાદી ગઇકાલે જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતનાં પાંચ શહેરોનો સમાવેશ છે.…
Read Moreરાજકોટ શહેર મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મિરાબેન વાઢેરની ફરજ નિષ્ઠાને મુકત કંઠે બિરદાવતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ મહાનગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાલનનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મીરા વાઢેર મહાનગરપાલિકા શરૂ કરવામાં આવેલ કોરોના કંટ્રોલરૂમના ઇન્ચાર્જ તરીકે પોતાની ફરજ નિભાવી રહયા છે. અને એ પણ પોતાની જી.એ.ડી અને આરોગ્ય શાખાની મૂળ ફરજો ઉપરાંત વધારાની કામગીરી તરીકેbકાશ્મીરા વાઢેર સવા બે વર્ષની વયની પુત્રીના માતા છે. અને તેઓના પતિ આશિષભાઈ રમેશભાઈ ડોડીયા પણ P.G.V.S.L. માં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. અને તેઓ પણ P.G.V.S.L. ના કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવી રહયા છે. હાલ તેઓ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે
તા.૧૬.૪.૨૦૨૦ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરુ થયા ત્યારે હવે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઓફિશ્યલી પ્રેસ રિલીઝ કરી જણાવ્યું છે. કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. મુખ્યમંત્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી…
Read Moreરાજકોટ શહેર ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી. અલગ અલગ થિમ પર ચિત્રકારી કરી આરોગ્ય કર્મી અને પોલીસ કર્મી માટે સંવેદના દર્શાવી. કોરોના મહામારી સામેના યુદ્ધમાં પોલીસ, ડોક્ટર અને મીડિયા ની કામગીરી ને ચિત્રકારો એ આપી સલામી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર માધાપર ચોકડી પાસે પરિણીત પ્રેમીએ પ્રેમીકાને પટ્ટાથી મારમાર્યો
રાજકોટ, રાજકોટ શહે૨ તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ પતિ-પત્ની ઔ૨ વોહ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીકા સાથે ૨હેતાં પ૨ણિત પ્રેમી યુવકે પ્રેમીકાને પટૃાવડે મા૨મા૨ી છ૨ીથી ઈજા ક૨તાં પ્રેમિકાએ સા૨વા૨ લેવી પડી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપ૨ ચોકડીથી મો૨બી ૨ોડ પ૨ આવેલાં શ્રી ૨ેસીડેન્સીમાં ૨હેતી ઉર્વશી ચીમનભાઈ મક્વાણા (ઉવ.૨૦)ની વણક૨ યુવતિને સાથે ૨હેતાં પ્રેમી વિપુલ ઓઘડભાઈ સુસ૨ા (ભ૨વાડ)એ કમ૨પટૃા વડે મા૨મા૨ી છ૨ીથી ઈજા ક૨તાં યુવતિએ સિવિલમાં સા૨વા૨ લીધી હતી. બનાવ અંગે હોસ્પીટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ ક૨ી હતી. બનાવના પગલે યુવતિએ જણાવ્યું હતું કે, પોતાના માતા-પિતા માર્કેટીંગ યાર્ડ નજીક…
Read More